ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકારી કર્મચારીઓએ ભાજપનો પ્રચાર કરવો હોય તો સરકારી નોકરી છોડી કેસરી ખેસ ધારણ કરે: મનીષ દોશી

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની અમદાવાદ કચેરીના સત્તાવાર સોશિયલ મીડિયા ટ્વીટર એકાઉન્ટ પરથી ભાજપના ટ્વીટને રિટ્વીટ કરનારા અધિકારી સામે ગુજરાત સરકારી સર્વિસ રુલ્સ અન્વયે તાત્કાલિક પગલાં ભરવા પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ માગ કરી છે.

By

Published : Aug 29, 2020, 8:11 PM IST

સરકારી કર્મચારીઓએ ભાજપનો પ્રચાર કરવો હોય તો સરકારી નોકરી છોડી કેસરી ખેસ ધારણ કરે : મનીષ દોશી
સરકારી કર્મચારીઓએ ભાજપનો પ્રચાર કરવો હોય તો સરકારી નોકરી છોડી કેસરી ખેસ ધારણ કરે : મનીષ દોશી

અમદાવાદઃ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારી, અર્ધ સરકારી કે ગ્રાન્ટેડ સંસ્થા સાથે જોડાયેલ કર્મચારીઓને પોતાના વ્યક્તિગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ સરકાર વિરુદ્ધની પોસ્ટ મુકવા બદલ આ સરકાર કાર્યાવાહી કરવાના આદેશ આપે છે અને બીજી બાજુ જીપીસીબીનાં સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ભાજપનો પ્રચાર કરાય છે. ખરેખર સરકારી કર્મચારીઓ અને સરકારી તંત્રનો ભાજપ દુરુપયોગ કરી રહ્યો છે.

સરકારી કર્મચારીઓએ ભાજપનો પ્રચાર કરવો હોય તો સરકારી નોકરી છોડી કેસરી ખેસ ધારણ કરે : મનીષ દોશી
એક તરફ ટેટ-ટાટ, 4200 ગ્રેડ પે ની માગ કરતા શિક્ષકો, પોલીસતંત્રનાં કર્મચારીઓ સામે સોશિયલ મીડિયા પોસ્ટ કરનાર માટે સસ્પેન્ડ, ખાતાકીય તાપસ અને પોલીસ કેસ સુધીના આદેશ અપાય છે. શિક્ષક,પોલીસ, એલઆરડી, હોમ ગાર્ડ,આશાવર્કર,આંગણવાડીના કર્મચારીઓને પોતાના સોશિયલ મીડિયા પર સરકાર સમક્ષ સાચી-હકની વાત રજૂ કરનારને નોકરીમાંથી હાથ ધોવા પડે છે.
સરકારી કર્મચારીઓએ ભાજપનો પ્રચાર કરવો હોય તો સરકારી નોકરી છોડી કેસરી ખેસ ધારણ કરે: મનીષ દોશી
મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સરકારી અધિકારીઓએ ભાજપનાં પ્રચારકોની જેમ કામ કરવાનું હોય તો સરકારી પગાર-સગવડો છોડી ભાજપનો ખેસ પહેરી ટ્વીટ-પ્રચાર કરે. છેલ્લે RTE પ્રવેશ અંગે બોલતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણનો અધિકાર RTE-2020ની પ્રવેશ પ્રક્રિયામાં ગરીબ પરિવારોને ફોર્મ ભરવામાં ઘણી તકલીફો પડી રહી છે. સરકાર પ્રવેશ તારીખ લંબાવે તેવી વિનંતી કરાઈ છે..

ABOUT THE AUTHOR

...view details