અમદાવાદઃ અમદાવાદમાં વહેલી સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા.જેમાં શહેરના પૂર્વ મેયર પ્રફુલ બારોટના નિધનના સમાચાર મળતા જ રાજકીય પક્ષઓમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું.
અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ બારોટનું દુઃખદ અવસાન - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદમાં વહેલી સવારે એક દુઃખદ સમાચાર સામે આવ્યા હતા. જેમાં શહેરના પૂર્વ મેયર પ્રફુલ બારોટના નિધનના સમાચાર મળતા જ રાજકીય પક્ષઓમાં શોકની લાગણી ફેલાઈ હતી.
![અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ બારોટનું દુઃખદ અવસાન Former Ahmedabad mayor Praful Barot passes away](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8516563-464-8516563-1598090833704.jpg)
અમદાવાદના પ્રથમ નાગરિક સમાન પૂર્વ મેયર પ્રફૂલ બારોટનું ગતમોડી રાત્રે દુ:ખદ નિધન થયું છે. તેમના અવસાન પર દેશના પીએમ મોદીએ ટ્વિટર પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!.
ઉલ્લેખનીય છે કે, પ્રફુલ બારોટ અમદાવાદના જાણીતા વકીલ હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા. તેમણે વર્ષ 8 ફેબ્રૂઆરી 1991થી લઈને 8 ફેબ્રુઆરી 1992 સુધી ફરજ નિભાવી હતી.