ગુજરાત

gujarat

માંડલ APMC માં ખેડૂતો વેપારીઓ તેમજ સ્વામીજી આશ્રમના વૃદ્ધોને પણ રસીકરણ કરવામાં આવ્યું

માંડલ APMC માં 45 વર્ષ ઉપરના ખેડૂતો વેપારીઓ અને વર્કરોને રસી આપવામાં હતી તેમજ માંડલના રામાનંદ સરસ્વતી સ્વામીજી આશ્રમ ખાતે પણ દશેક જેટલા વૃદ્ધોને રસી આપવામાં આવી હતી.

By

Published : Apr 8, 2021, 8:04 PM IST

Published : Apr 8, 2021, 8:04 PM IST

રસીકરણ
માંડલ APMC માં ખેડૂતો વેપારીઓ તેમજ સ્વામીજી આશ્રમના વૃદ્ધોને પણ રસીકરણ કરવામાં આવ્યું

  • APMCમાં 45 વર્ષ ઉપરના ખેડૂતો વ્યાપારીઓને રસી આપવામાં આવી
  • APMC ના ચેરમેન ડી.આઈ.પટેલે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
  • કોવિશીલ્ડ અને કોવેકસીન અંગે સમજ આપવામાં આવી

અમદાવાદ: રાજ્ય અને દેશભરમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધતો જાય છે અને બીજી બાજુ સરકાર દ્વારા કોવિશીલ્ડ અને કોવેકસીન રસી આપવાની કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે.

APMCમાં ખેડૂતો વ્યાપારીઓ તથા વર્કરો ને રસી અપાઈ

માંડલ ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે APMCના ચેરમેન ડી.આઈ.પટેલે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમજ APMCના વેપારી વર્કર તથા ખેડૂતો તથા APMCના સ્ટાફે પણ રસી લીધી હતી. માંડલ રામાનંદ સરસ્વતી સ્વામીજી આશ્રમ ખાતે પણ દસેક જેટલા વૃધ્ધોને રસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : રાજ્યમાં કોરોના અપડેટ: કોરોનાને લીધે વધુ 22 લોકોનાં મોત

રસીકરણ માં વિઠલાપુર પી.એચ.સી ની ટીમ ઉપસ્થિત રહી હતી

માંડલમાં વિઠલાપુર પી.એચ.સી ના ડોક્ટર દીપક પટેલ તથા મેડીકલ ઓફિસર ડો.હેમંત પટેલ નોડલ અધિકારી ડો.ચિરાગ રાઠોડ સહિતની આરોગ્ય ટીમ ઉપસ્થિત રહી હતી. APMCના ચેરમેન ડી.આઈ.પટેલ,સેક્રેટરી અમિતભાઈ પટેલ,ભાજપ કાર્યકર રાજુભાઈ શાહ,પૂર્વ ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલ,સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :ભુજમાં રાજયપ્રધાનની અધ્યક્ષતામાં કોરોના કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ

ABOUT THE AUTHOR

...view details