ગુજરાત

gujarat

ETV Bharat / city

યુક્રેનમાં બધુ ઠીક થઈ જશે અને અમે અધુરો અભ્યાસ પૂર્ણ કરવા પાછા જઈશું : વિદ્યાર્થીનો આશાવાદ - India Mission Airlift

યુક્રેઇનથી ગુજરાતના વિદ્યાર્થીઓ (Gujarat Student in Ukraine)નો પહેલો કાફલો અમદાવાદ આવી પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓ પોતાના વતન આવીને પોતાની જાતને સુરક્ષિત અનુભવતા હતા. આ વિદ્યાર્થીઓ સાથે ઇટીવી ભારતે ખાસ વાત કરી હતી.

યુક્રેનમાં બધુ ઠીક થઈ જશે અને અમે અધુરો અભ્યસ પૂર્ણ કરવા પાછા જઈશું : વિદ્યાર્થીનો આશાવાદ
યુક્રેનમાં બધુ ઠીક થઈ જશે અને અમે અધુરો અભ્યસ પૂર્ણ કરવા પાછા જઈશું : વિદ્યાર્થીનો આશાવાદ

By

Published : Feb 27, 2022, 10:54 PM IST

Updated : Feb 28, 2022, 6:45 AM IST

અમદાવાદ: યુક્રેઇનથી ગુજરાતના વિદ્યાર્થીઓ (Gujarat Student in Ukraine)નો પહેલો કાફલો અમદાવાદ આવી પહોંચ્યો હતો. વિદ્યાર્થીઓ પોતાના વતન આવીને પોતાની જાતને સુરક્ષિત અનુભવતા હતા. આ વિધાર્થીઓમાં મોટા ભાગના મેડીકલનો અભ્યાસ કરવા યુક્રેન ગયા હતા. જો કે આ તમામ વિધાર્થીઓ યુક્રેનના શાંત વિસ્તારોમાંથી આવ્યા હતા.

યુક્રેનમાં બધુ ઠીક થઈ જશે અને અમે અધુરો અભ્યસ પૂર્ણ કરવા પાછા જઈશું : વિદ્યાર્થીનો આશાવાદ

અમારા મિત્રો ત્યાં ફસાયેલા છે તેનું દુઃખ

વિદ્યાર્થીઓએ Etv Bharatને જણાવ્યું હતું કે, અમે એવા વિસ્તારોમાંથી આવ્યા છીએ જ્યાં સ્થિતિ સારી છે, પરંતુ અમારા ઘણા મિત્રો બોર્ડર (Student on Romania border) પર અટવાયેલા છે. આવી પરિસ્થિતિમાં અમારી મદદ કરવા બદલ અમે ભારત સરકાર અને ભારતીય એમ્બેસીનો આભાર માનીએ છીએ.

યુક્રેનમાં બધુ ઠીક થઈ જશે અને અમે અધુરો અભ્યસ પૂર્ણ કરવા પાછા જઈશું : વિદ્યાર્થીનો આશાવાદ

રોમાનીયનોએ ખૂબ જમવાનું આપ્યું

રોમાનિયન બોર્ડરથી આવેલા વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, રોમાનિયન લોકોએ તેમને ભરપૂર જમવાનું આપ્યું હતું અને સાથે તેમનું સ્વાગત પણ કર્યું હતું.

આ પણ વાંચો:Junagadh Mahashivratri Mela: હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતા ધાર્મિક મહત્વ ધરાવે છે બાલ નાગા સંન્યાસીઓ

યુવતીઓને પ્રાથમિકતા

યુક્રેનની રાજધાની કિવમાં સ્થિતિ ખરાબ છે. આજે આવેલા કાફલામાં યુવતીઓની સંખ્યા વધુ હતી. ઉપરાંત કેટલાક વાલીઓ એ એમ પણ કહ્યું હતું કે, ભારતીય એમ્બેસી (India Mission Airlift)અને યુક્રેન યુવતીઓને સ્વદેશ પરત મોકલવા પ્રાથમિકતા આપી રહી છે.

આ પણ વાંચો:India Mission Airlift: યુક્રેનથી વધુ 78 વિધાર્થી ભારત પહોંચતા એરપોર્ટ પર ખુશીનો વરસાદ

પહેલા શા માટે યુક્રેન ના છોડ્યું ?

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમને લાગતું હતું કે યુદ્ધ નહીં થાય એટલે અમે રોકાયા હતા, પરંતુ અમે ખોટા પડ્યા. ઘરવાળાને મળીને અમે ખુશ થયા છીએ, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે, યુક્રેનમાં પહેલા જેવી પરિસ્થિતિઓ થાય અને અમે પાછો અમારો અભ્યાસ પૂર્ણ કરવા યુક્રેન જઈએ.

Last Updated : Feb 28, 2022, 6:45 AM IST

ABOUT THE AUTHOR

...view details