ગુજરાત

gujarat

ETV BHARAT Rubaru: સાયન્સ સિટી 365 દિવસ નવું જ્ઞાન આપવા સજ્જ હોય છે : એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નરોત્તમ સાહુ

By

Published : Jan 16, 2022, 7:07 AM IST

અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટી 250 એકરમાં (Science City Ahmedabad visit) ફેલાયેલી છે. બાળકોથી લઈને મોટાને આકર્ષે એવા વિવિધ સાયન્સના પ્રોજેક્ટ અહીં છે. વિજ્ઞાનને નજીકથી જોવા માટે સાયન્સ સિટીની દર વર્ષે લાખો લોકો મુલાકાત લે છે. સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નરોત્તમ સાહુ સાથે ETV Bharat એ ખાસ વાતચીત કરી હતી.

ETV BHARAT Rubaru: સાયન્સ સીટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નરોત્તમ સાહુની ETV ભારત સાથે ખાસ વાતચીત
ETV BHARAT Rubaru: સાયન્સ સીટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નરોત્તમ સાહુની ETV ભારત સાથે ખાસ વાતચીત

પ્રશ્નઃ વર્તમાનમાં સાયન્સ સિટીમાં કયા આકર્ષણ છે ?

જવાબઃ સાયન્સ સિટી 2002 (Science City Ahmedabad visit) માં ખુલ્લી મુકાઈ હતી. 2021 સુધીમાં અહીં આઇમેક્સ થિયેટર, હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, પ્લેનેટ અર્થ, લાઇફ સાયન્સ પાર્ક, એનર્જી પાર્ક બન્યા છે. અહીં દુનિયાનો સૌથી મોટો ક્લાસરૂમ છે. 100 ફુટ × 90 ફૂટના પડદા ઉપર વિદ્યાર્થીઓને કીડીથી લઈને રોકેટ દેખાડી શકાય છે. ચંદ્ર અને મંગળ ઉપર આપણે હોઈએ તેવો અનુભવ કરી શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી 16 જુલાઈ, 2020માં અહીં એકવાટિક ગેલેરી, રોબોટિક ગેલેરી ખુલ્લી મૂકી હતી, અહીં એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરી બની રહી છે. એકવાટિક ગેલેરીમાં (Aquatic Gallery Science City) નવું નજરાણું પેંગ્વિન ઉમેરાયું (Penguin Gallery Science City) છે.

ETV BHARAT Rubaru: સાયન્સ સીટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નરોત્તમ સાહુની ETV ભારત સાથે ખાસ વાતચીત

પ્રશ્નઃ ભવિષ્યમાં કયા નવા પ્રોજેક્ટ્સ આવશે ?

જવાબઃ અમારો પ્રયત્ન લોકોને વિજ્ઞાન તરફ આકર્ષવાનો છે, અહીં એસ્ટ્રોનોમી સાયન્સ ગેલેરી નિર્માણ પામશે, ઉપરાંત અહીં 250 સીટનું 3D હાઇબ્રીડ પ્લેનેટોરિયમ આવી રહ્યું છે. સ્પેસ ઓબ્ઝરવેટરી જે માઉન્ટ આબુ ખાતે આવેલી છે, તેવી સાયન્સ સિટીમાં પણ નિર્માણ પામશે. આ ઉપરાંત હ્યુમન સાયન્સ ગેલેરી બનશે, જેમાં માનવ શરીરની માહિતી આપવામાં આવશે. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારાને જોતા શીપીંગ નેવિગેશન ગેલેરી પણ અહીં બનાવાશે.

પ્રશ્નઃ દર વર્ષે કેટલા લોકો સાયન્સ સિટીની મુલાકાત લે છે ?

જવાબઃસાયન્સ સિટીમાં તમામ સિસ્ટમ ડિજિટલ છે. દર વર્ષે 07થી 08 લાખ લોકો સાયન્સ સિટીની મુલાકાત લે છે, પરંતુ નવા પ્રોજેક્ટ્સ આવ્યા બાદ 10થી 15 લાખ લોકો તેની મુલાકાત લે તેવી શક્યતા છે. છેલ્લા 3થી 4 મહિનામાં 04 લાખ લોકોએ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે.

પ્રશ્નઃ વિઝિટર્સ બુકમાં કેવા સજેશન આવે છે ?

જવાબઃસાયન્સસિટી વિઝિટર્સ બૂક રાખે છે, જેમાં દેશ-વિદેશથી આવેલા લોકો તેમનો અભિપ્રાય લખે છે અને તેની ઉપર અમે કામ પણ કરીએ છીએ.

પ્રશ્નઃ સાયન્સ સિટી વિધાર્થીઓને કેવી રીતે આકર્ષે છે ?

જવાબઃ સાયન્સ સિટી એ શાળા કે શિક્ષક નથી, અમે બાળકોને વિજ્ઞાનની દુનિયામાં લઈ જઈએ છીએ, અહીં રોબોટ સાથે બાળકો વાત કરે છે. વિજ્ઞાનનો પ્રેક્ટિકલ અનુભવ બાળકોને કરાવાય છે.

પ્રશ્નઃ વિજ્ઞાનના મહત્વના દિવસોએ સાયન્સ સિટીમાં કોઈ ખાસ આયોજન હોય છે ?

જવાબઃસાયન્સ સિટી 365 દિવસ નવું જ્ઞાન આપવા સજ્જ હોય છે. વિજ્ઞાનીઓના જન્મદિવસ, જે-તે દિવસે થયેલી શોધ, સ્પેસની મહત્વની ઘટનાઓ, મહત્વનું ડેવલપમેન્ટ વગેરે પર માહિતી અપાય છે.

પ્રશ્નઃ સાયન્સસિટીનું મેન્ટેનન્સ કેવી રીતે રખાય છે ?

જવાબઃ લોકોને આકર્ષવા માટે અહીં એકવાટિક અને રોબોટિક ગેલેરી બનાવવામાં આવી છે, જ્યારે નવા પ્રોજેક્ટ આવે છે, ત્યારે તેની સાથે તેના ઓપરેશન અને મેઇન્ટેનન્સનો 5 વર્ષનો કોન્ટ્રાકટ કરવામાં આવે છે, આ દરમિયાન અમારો સ્ટાફ આ કામ શીખે છે.

આ પણ વાંચો:

ગગનયાનમાં ક્રાયોજેનિક ટેકનોલોજી બનાવનાર ઇસરોના પૂર્વ વૈજ્ઞાનિક એન.કે.ગુપ્તા સાથે ETV Bharatનું રૂબરૂ

અમદાવાદ સાયન્સ સિટી ખાતે 250 કરોડના ખર્ચે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્ક શરૂ થશે

ABOUT THE AUTHOR

...view details