ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાળી સ્પેશિયલઃ અમદાવાદના ફટાકડા બજારમાં ‘ગ્રીન ફટાકડા’ આવ્યા… - ગ્રીન ફટાકડા

અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની ખરીદીને લઈને બજારોમાં રોનક જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદના ફટાકડા બજારમાં નવા ખાસ પ્રકારના ગ્રીન ફટાકડા આવ્યા છે. દીવાળીના દિવસોમાં ફટાકડાના ઉપયોગને લીધે પ્રદુષણના સ્તરમાં વધારો જોવા મળે છે અને તેને કેટલાક અંશ સુધીમાં ડામવા માટે ગ્રીન ફટાકડા માર્કેટમાં આવ્યા છે. કહેવાય છે કે, આ ગ્રીન ફટાકડામાં હાનિકારક કેમિકલ તત્વોનું પ્રમાણ ઓછું હોવાથી પ્રદુષણ ઓછું ફેલાય છે.

ગ્રીન ફટાકડા શું છે?
ગ્રીન ફટાકડા શું છે?

By

Published : Oct 22, 2019, 10:47 PM IST

Updated : Jun 22, 2022, 3:20 PM IST

પ્રદુષણને ડામવા માટે અમદાવાદના ફટાકડા બજારમાં ગ્રીન ફટાકડા આવ્યા છે તેના પર "Now Go Green" લખેલું છે અને સામાન્ય ફટાકડા કરતા સહેજ મોંઘા છે. માર્કેટમાં પહેલીવાર લોન્ચ થયેલા આ પ્રકારના ફટાકડાનું વેચાણ હાલ ઓછું છે. પરંતુ, આવનારા દિવસોમાં તેની જાગૃતતા વધશે તો આવા ગ્રીન ફટાકડાનું વેચાણ વધશે તેવી દુકાનદારો દ્વારા આશા વ્યકત કરવામાં આવી રહી છે. દીવાળીના દિવસ પહેલાં ફટાકડા બજારમાં મંદીનો માર જોવા મળી રહ્યો છે. વિધાર્થીઓની પરીક્ષા હવે પુરી થઈ છે. ત્યારે, આગામી દિવસોમાં બજારનો માહોલ સુધરશે અને વેચાણ વધશે તેવી આશા વ્યકત કરાઈ રહી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂટિન ફટાકડાની સાથે સાથે નવા ફટાકડા માર્કેટમાં જોવા મળ્યા છે, જેમાં શોર્ટ-ગન, મીની-પીકોક, બીગ-પીકોક, બુલેટ, જમ્પર, સહિતના ફટાકડા આવ્યા છે. અમદાવાદના રાયપુરમાં આવેલી અંબિકા ટ્રેડિંગના માલિક ભાવિક ખજાનચીએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બધા માર્કેટની અસર ફટાકડા બજાર પર જોવા મળી રહી છે, જો કે શનિવાર રવિવારના દિવસોમાં વેચાણ વધ્યું હોવાથી આગામી દિવસોમાં ફટાકડામાં નવી ઘરાકી નીકળવાની આશા છે. આ વર્ષે ફટાકડાના સપ્લાયમાં નજીવો ઘટાડો છે. તેની સાથે ગત વર્ષની સરખામણીએ આ વખતે કેટલાક ફટાકડાઓમાં 25 થી 30 ટકા સુધીનો ભાવ વધારો છે.

પાછલા કેટલાક વર્ષોમાં લોકો ફટાકડાથી થતાં પ્રદુષણ અને સરકાર દ્વારા કરવામાં આવતી સલાહને અનુસરીને ગ્રીન ફટાકડા તરફ વળ્યા છે, ત્યારે આ વર્ષના ગ્રીન ફટાકડાના વેંચાણ પ્રયોગ પરથી આગામી વર્ષોમાં તેનું વેંચાણ વધશે કે કેમ એ અંગે જાણી શકાશે.

આવો જાણીએ ગ્રીન ફટાકડા શું છે?

  • 'ગ્રીન ફટાકડા' દેખાવમાં અને અવાજમાં સામાન્ય ફટાકાડા જેવા જ હોય છે પરંતુ તેનાથી પ્રદૂષણ ઓછું થાય છે.
  • સામાન્ય ફટાકડાઓ કરતાં આ ફટાકડા ફૂટવાથી 40-50 ટકા ઓછું નુકસાન કરે તેવો ગૅસ નિકળે છે.
  • જાણકારી મુજબ આ ફટકાડાના કારણે નિકળનારો ગેસ વાતાવરણમાં 30 થી 40 ટકા ઓછું નુકશાન કરશે. આ ફટાકડાના કારણે પ્રદૂષણ સંપુર્ણ પણે અટકાવી શકાશે નહીં પરંતુ, તેના પ્રમાણમાં ચોક્કસથી ઘટાડો કરી શકાય."

નિષ્ણાંતોનું કહેવું છે કે ગ્રીન ફટાકડાનો ઉપયોગ વિશ્વના અન્ય કોઈ દેશોમાં થતો નથી. ગ્રીન ફટાકડાનો વિચાર ભારતનો છે. બજારમાં પ્રવેશતા જ ગ્રીન ફટાકડા વિશ્વને નવી રાહ ચીંધશે.

કેમેરામેન મુકેશ ડોડિયા સાથે આકીબ છીપાનો અહેવાલ, ઈટીવી ભારત… અમદાવાદ

Last Updated : Jun 22, 2022, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details