ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના બિલ્ડર સાથે અશ્વગંધાના બીજની ખરીદીના બહાને છેતરપિંડી કરનારો ઝડપાયો - Ahmedabad crime branch

રાજ્યમાં સાયબર ક્રાઈમ (Cyber Crime in Gujarat) દિવસે દિવસે વધી રહ્યું છે. અશ્વગંધાના બીજ વેચીને નફો રળી લેવાની લાલચ આપીને છેતરપીંડી આચરતા એક શખ્સની અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે. જ્યારે આરોપીએ પોતાની ગેંગ સાથે અમદાવાદના બિલ્ડર પાસેથી 46.81 લાખની છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે. જોકે, આ ગેંગના અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ ગેંગ દ્વારા આચરવામાં આવેલા અન્ય ગુનાઓની તપાસ હાથ ધરી છે.

અમદાવાદના બિલ્ડર સાથે અશ્વગંધાના બીજની ખરીદીના બહાને છેતરપિંડી કરનારો ઝડપાયો
અમદાવાદના બિલ્ડર સાથે અશ્વગંધાના બીજની ખરીદીના બહાને છેતરપિંડી કરનારો ઝડપાયો

By

Published : Jun 21, 2021, 10:35 PM IST

  • અશ્વગંધાના બીજ ખરીદવાના બહાને છેતરપિંડી
  • સાયબર ક્રાઇમે છેતરપિંડી કરનારા શખ્સને ઝડપી પાડ્યો
  • અમદાવાદના બિલ્ડર સાથે 46.81 લાખની કરી હતી છેતરપિંડી



અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલા સાયબર ક્રાઈમ (Cyber Crime in Gujarat) વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે શહેરના જ એક બિલ્ડરને અશ્વગંધાના બીજ વેચીને નફો કરવાની લાલચ આપીને 46.81 લાખની છેતરપિંડી આચરનારા એક શખ્સની ધરપકડ કરી છે. આ સાથે તેણે આ પ્રકારે વધુ કેટલા ગુના આચર્યા છે તે દિશામાં તપાસ આરંભી છે.

અમદાવાદના બિલ્ડર સાથે અશ્વગંધાના બીજની ખરીદીના બહાને છેતરપિંડી કરનારો ઝડપાયો

જુદા જુદા મેઈલ આઈ.ડી અને વિદેશી મોબાઈલ નંબરોનો કરતો હતો ઉપયોગ

પકડાયેલા આરોપીનું નામ અબ્દુલ કાદિર કચ્છી છે. તે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. તેની પાસેથી અલગ અલગ 6 મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આરોપીની મોડેસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો અલગ અલગ મેઈલ આઈ.ડી અને વિદેશી મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને ઔષધિ તથા અશ્વગંધના બીજ ખરીદવાના બહાને તથા પોતાની કંપનીને સપ્લાય કરવાથી મોટું વળતર મળશે. તેવી લાલચ આપીને અમદાવાદના એક બિલ્ડર પાસેથી 46.81 લાખની છેતરપિંડી આચરી છે. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય 2 આરોપીઓ ફરાર

અબ્દુલ કાદિરની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, આ ગુનાના અન્ય આરોપીઓ કે જેઓ છેતરપિંડી કરી જે રૂપિયા RTGS દ્વારા મેળવતા હતા તે રૂપિયા આંગડિયા મારફતે પોતે મેળવીને પોતાનો 10 ટકાનો હિસ્સો લઈને વધેલી રકમ મુખ્ય આરોપીને દિલ્હી સુધી પહોંચાડતા હતા. આરોપીએ ફરિયાદીના મેઈલ આઈ.ડી. પર એક મેઈલ મોકલ્યો હતો અને અશ્વગંધાના બીજ વેચાણ કરવા માટે વેપારીને ભોળવ્યો હોવાની કેફિયત રજૂ કરી હતી. આ ગુનામાં અન્ય 2 આરોપી ફરાર છે. જેઓ ફાર્મા કંપનીના કર્મચારી હોવાની ઓળખાણ આપી દિલ્હી ખાતે ફરિયાદી સાથે મિટિંગ કરી હતી અને તે મિટિંગ બાદ વધુ 46 પેકેટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કેસમાં મહત્વનું છે કે, અગાઉ પણ મોંઘી ઔષધિ કે પછી આર્યુવેદીક તેલ મેળવવાના બહાને છેતરપિંડી કરતી ગેંગો ઝડપાઇ છે. તેમ છતાં અમદાવાદના વધુ એક બિલ્ડર 2500 ડોલરમાં અશ્વગંધાના બીજ ખરીદીને 6000 ડોલરમાં વેચીને નફો લેવાની લાલચમાં પોતાના 46 લાખ ગુમાવી બેઠા છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details