અમદાવાદઃ ઈન્ડિયાની અગ્રણી હૉસ્પિટલ્સમાંની એક ‘હૃદય સે’ હૉસ્પિટલનું મિશન હંમેશાથી હેલ્થ માટે પ્રેરણારૂપ, આશાવાદી અને યોગદાન આપવાનું રહ્યું છે. અહીં ડૉક્ટર્સ દરેક દર્દીઓને હાઈ ટેક્નોલોજી સાથે સંકલિત પ્રેક્ટિસ દ્વારા શ્રેષ્ઠ સંભાળ આપી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ છીએ કે, ઘણા લોકોને આર્થિક રીતે અસર પહોંચી છે. જેને લઇ ‘હૃદય સે’ હૉસ્પિટલ કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓનો આર્થિક બોજ ઓછો કરવા માટે મદદ કરશે.
હૃદય સે-અ પ્રોડક્ટ ઓફ ટર્નિંગ-પોઈન્ટ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના ચેરમેન સુરેન્દ્ર છાજેડે જણાવ્યું હતું કે, ‘હૃદય સે’ હૉસ્પિટલ દ્વારા સારવાર માટે એક નવીનતમ અભિગમ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં યોગા, ગરબા, અંતાક્ષરી, મેડિટેશન, પૂજા, બેન્ડ્સ સાથે લાઈવ મ્યૂઝિક વગેરે દ્વારા દર્દીઓના સ્ટ્રેસ લેવલને ઓછું કરવામાં આવે છે. દર્દીઓ સાથે બોન્ડ બાંધવામાં ‘હૃદય સે’ હૉસ્પિટલ હંમેશા પ્રયત્નશીલ રહી છે. દર્દીઓની સુખાકારીને પ્રાધાન્ય આપતી આ હોસ્પિટલ દર્દીઓને શ્રેષ્ઠ સેવાઓ આપવામાં આગળ રહે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના દરેક વર્ગોની સેવા કરવા માટે અમે દેશભરમાં મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ્સ અને ક્લિનિક્સની ચેઈન સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે. અમે માનીયે છીએ કે, લોકોએ વર્ષમાં 2 વાર રેગ્યુલર હેલ્થ ચેક અપ કરાવવું જોઈએ અને તે માટે લોકોને જાગૃત પણ કરીએ છીએ. આ ઉપરાંત અવેરનેસ પ્રોગ્રામ્સ શરૂ કરવાની પણ યોજના બનાવી છે. જેનાથી 2000 જેટલા પરિવારોને ફ્રી હેલ્થ ચેકઅપ પ્રદાન કરીએ છીએ.