અમદાવાદમાં કોરોનાથી વધુ એક શિક્ષકનું મોત: કુલ 4 શિક્ષકોના મોત - Corona in gujarat
કોરોના વાઈરસે વધુ એક શિક્ષકનો ભોગ લીધો છે. અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રિટાબેન પાવગઢીને કોરોના અંગેના સર્વેની કામગીરી સોંપાઈ હતી. જેમાં તેમને ચેપ લાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ તેમનું મોત થયું હતું. તેમના મોતથી અમદાવાદ જિલ્લાના સમગ્ર શિક્ષક આલમમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

કોરોનાથી વધુ એક શિક્ષકનું મોત
અમદાવાદઃ કોરોના વાઈરસની કામગીરી અંગેની ફરજ બજાવતા મૃત્યુ પામનારા આ ચોથા શિક્ષક હતા. રીટાબેન પાવાગઢીના મોતથી શિક્ષકોમાં પણ રોષ વ્યાપ્યો છે. કારણકે, તેમને અગાઉ સરકાર સમક્ષ નીચે મુજબની કેટલીક રજૂઆતો કરી હોવા છતાં સરકાર તરફથી કોઇ પગલાં ભરવામાં આવ્યા નથી.