ગુજરાત

gujarat

By

Published : Nov 26, 2020, 11:27 AM IST

ETV Bharat / city

આયુર્વેદાચાર્યો કેટલીક શસ્ત્રક્રિયા કરી શકશે તેવા કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને વિવાદ

આયુર્વેદના તબીબો ગેઝેટના સમર્થનમાં થોડા દિવસ અગાઉ કેન્દ્ર સરકારની સેન્ટ્રલ કાઉન્સિલે એક નોટિફિકેશન બહાર પાડીને શલ્ય અને શાલકય શાખામાં જે આયુર્વેદના તબીબોએ પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને એમડીની પદવી મેળવેલ હોય, તેઓ 39 જેટલી પ્રકારની સામાન્ય સર્જરી કરી શકશે તેવી કાયદેસરની મંજૂરી આપી છે. આ તબીબોને એલોપથીના સર્જન શસ્ત્રક્રિયાની તાલીમ પણ આપશે, ત્યારે તેને લઈને આયુર્વેદના તબીબો અને એલોપથીના ડોક્ટરોમાં વિવાદ જોવા મળી રહ્યો છે.

Ahmedabad
Ahmedabad

  • કેન્દ્ર સરકારના આયુર્વેદના તબીબો શસ્ત્રક્રિયા કરી શકશે તેવા નોટિફિકેશનથી વિવાદ
  • એલોપથીના ડોકરોએ આ ગેઝેટનો નોંધાવ્યો વિરોધ
  • આયુર્વેદ અને એલોપથીનું બંને જ્ઞાન હોવું આયુર્વેદના તબીબો માટે જરૂરી છે

    અમદાવાદઃ શલ્ય અને શાલકય શાખાના અભ્યાસક્રમમાં સર્જરી ભણાવાય છે. આયુર્વેદના તબીબોએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. તેમનું કહેવું છે કે બેચલર ઇન આયુર્વેદિક મેડિસિન અને સર્જરી(BAMS) પછી જે વિદ્યાર્થીઓ શલ્ય અને શાલકયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરી એમડીની ડીગ્રી મેળવે છે. તેમના અભ્યાસ ક્રમમાં ગેઝેટમાં ઉલ્લેખ કરેલ આ સર્જરીઓનો વિષય આવે જ છે. શલ્ય અને શાલકયમાં સામાન્ય રીતે આંખ, નાક અને ગળાની સર્જરી વિશે ભણાવવામાં આવે છે. આ ઉપરાંત હરસ, મસા અને ભગંદરનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેનો અભ્યાસક્રમ એલોપથી જેવો જ છે. વળી તેનું પ્રેક્ટીકલ નોલેજ પણ આપવામાં આવે છે. આ સાથે જ પ્રાથમિક સર્જરીઓ માટે આ કોર્ષ કરેલ ડોક્ટરોને એલોપથીના ડોક્ટરો હોસ્પિટલની અંદર છ મહિનાની તાલીમ આપે છે.
આયુર્વેદાચાર્યો કેટલીક શસ્ત્રક્રિયા કરી શકશે તેવા કેન્દ્ર સરકારના નિર્ણયને લઈને વિવાદ

ગ્રામીણોને મળશે ળાભ

શલ્ય અને શાલકયના તબીબો તેની પ્રેક્ટિસ કરતા જ હતા, આ નોટિફિકેશનથી ફક્ત તેને કાયદેસરતા મળશે. જોકે આમ તો અનેક રાજ્યોમાં આ પ્રેક્ટિસ ચાલુ જ હતી, બસ હવે તેને કાયદેસરતા બક્ષવામાં આવી છે. ખાસ કરીને ગામડામાં જ્યારે ઈમરજન્સી સારવારની જરૂર હોય, કોઈ ઇંજેક્શન આપવાનું હોય, સામાન્ય સર્જરીથી વ્યક્તિનું જીવન બચતું હોય તો એલોપથીના ડોક્ટરો આંતરિયાળ જગ્યામાં ઉપલબ્ધ હોતા નથી, ત્યારે આ કાયદેસરતાથી ગ્રામીણોને સૌથી વધુ લાભ મળશે. આ ગેઝેટથી આયુર્વેદના તબીબોની સર્જરીઓને પણ મેડીક્લેમ માટે કાયદેસરતા પણ મળશે, જે અત્યારે મળતી નથી.

આયુર્વેદ અને એલોપથીનું બંને જ્ઞાન હોવું આયુર્વેદના તબીબો માટે જરૂરી છે.

તાત્કાલિક સારવાર માટે આયુર્વેદના તબીબોને મોડર્ન મેડીસીનનું જ્ઞાન જરૂરી અમુક વખતે ઇમર્જન્સીમાં એલોપથીની જરૂર પડે છે. કારણ કે, લાંબા ગાળાનું અને જડમૂળથી રોગ મટાડવાનું વિજ્ઞાન છે. ત્યારે આયુર્વેદ અને એલોપથીનું બંને જ્ઞાન હોવું આયુર્વેદના તબીબો માટે જરૂરી છે.જો કે આરોગ્ય રાજ્યનો વિષય હોવાથી ગુજરાત સરકાર ગેઝેટને કાયદેસરતા બક્ષશે, ત્યારે જ ગુજરાતના શલ્ય અને શાલકયના આયુર્વેદ તબીબો આ કાર્ય કરી શકશે.

IMA કર્યો હતો વિરોધ

ઇન્ડિયન મેડિકલ સાયન્સ(IMA) એ નોંધાવ્યો વિરોધ એલોપથીના ડોક્ટરોએ સરકારના ક્રોસપથી જેવા આ નિર્ણયનો વિરોધ કર્યો છે. ઈન્ડીયન મેડીકલ એસોસિએશને ગેઝેટ બહાર પડતાની સાથે જ તેનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આયુર્વેદ અલગ વિજ્ઞાન છે, આયુર્વેદના તબીબી પોતાની રીતે જ તે ક્ષેત્રમાં આગળ વધે. એલોપથીમાં તેઓ દખલઅંદાજી ના કરે. એલોપથી મોડલ મેડિકલ સાયન્સ છે.

સરકાર તેનો નિર્ણય પાછો નહીં ખેંચે તો થશે વિરોધ

જો સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો બની શકે કે એલિપથીના ડોકટર્સ હડતાળ કરે. અમદાવાદ મેડિકલ એસોસિએશન(AMA)ના ચેરપર્સન ડોક્ટર મોના દેસાઈએ જણાવ્યું હતું કે, શસ્ત્રક્રિયા કરવી સહેલી નથી. શસ્ત્રક્રિયા કરવા માટે એલોપથીમાં સર્જરીના ડોકટર બનવા 10 વર્ષનો અભ્યાસ અને તેજસ્વીતાની જરૂર હોય છે. ક્રોસપથી એ દર્દી અને ડોક્ટર બનેનું અપમાન છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દર્દીઓના જીવ જોખમમાં મુકાશે. તેથી તેઓ સરકારના આ નિર્ણયને વખોડે છે. જો સરકાર પોતાનો આ નિર્ણય પાછો નહીં લે તો ડોક્ટરો તેની સખત વિરોધ કરશે. બની શકે કે તેઓ હડતાળ પણ કરે.

6 મહિનાની ટ્રેનીંગથી કોઈ એલિપથી શીખી શકે નહીં. જો સરકારને શહેરોમાં અને ગામડાઓમાં ડોક્ટરની અછત લાગતી હોય તો સરકારે મેડિકલની સીટ વધારવી જોઈએ. 6 મહિનાની ટ્રેનિંગના કોઈ એલોપથીનો ડોકટર બની શકે નહીં. જો એમ જ હોય તો NEET પરીક્ષાની જરૂર શું છે ? શા માટે ડોક્ટર બનવા માટે ગુણવત્તા કે આટલા લાંબા શિક્ષણની જરૂર પડે છે ?

ABOUT THE AUTHOR

...view details