ગુજરાત

gujarat

ETV Bharat / city

પૂરતા પાર્કિંગના અભાવે બિલ્ડરને 43 ફ્લેટધારકોને 50,000નું વળતર ચૂકવો, ગ્રાહક તકરાર નિવારણ ફોરમે કર્યો આદેશ

સુરતમાં બિલ્ડરે ગેરકાયદે બાંધકામ તાણી બાંધી ફ્લેટધારકોને પાર્કિંગ એક મીટર ઓછું મળતાં ગુજરાત રાજ્ય તકરાર નિવારણ ફોરમે આરોપી બિલ્ડરને તમામ 43 ફ્લેટધારકોને 50-50 હજાર રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

By

Published : Aug 21, 2020, 7:26 PM IST

પૂરતા પાર્કિંગના અભાવે બિલ્ડરને 43 ફ્લેટધારકોને 50,000નું વળતર ચૂકવો,ગ્રાહક તકરાર નિવારણ ફોરમે કર્યો આદેશ
પૂરતા પાર્કિંગના અભાવે બિલ્ડરને 43 ફ્લેટધારકોને 50,000નું વળતર ચૂકવો,ગ્રાહક તકરાર નિવારણ ફોરમે કર્યો આદેશ

અમદાવાદઃ વર્ષ 2016માં સુરતના ગ્રાહક નિવારણ ફોરમે બિલ્ડર સહિત તેના પાંચ પાર્ટનરને 43 ફ્લેટધારકોને એક લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જેની સામે બિલ્ડર તરફથી ગુજરાત રાજ્ય તકરાર નિવારણ ફોરમમાં અપીલ અરજી કરવામાં આવી હતી.

ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો બિલ્ડરને આદેશ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા કૃષ્ણ પાર્ક સોસાયટીનો આ કિસ્સો છે. વર્ષ 2014માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કૃષ્ણ પાર્ક સોસાયટીનું બીયુ પરમિશન રદ કરી દેવામાં આવ્યું હતું. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે 150 ચો.મીના પાર્કિંગ વિસ્તારમાં ગેરકાયદે ત્રણ દુકાન ઊભી કરવામાં આવી હતી.
ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો બિલ્ડરને આદેશ
ચાલુ વર્ષે રાષ્ટ્રીય ગ્રાહક તકરાર નિવારણ ફોરમે પૂરતી પાર્કિંગ સુવિધાના અભાવે સુરતના બિલ્ડરને 23 ફ્લેટધારકોને 2 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details