અમદાવાદ: 14 એપ્રિલના રોજ જમાલપુર વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને એસવીપી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. 9 દિવસની સારવાર બાદ પણ આજે તેમનો કોરોનાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. હવે 25-26 એપ્રિલના રોજ તેમનો વધુ એક રિપોર્ટ કરવામાં આવશે. જે બાદ જ તેમની હાલત વિશે જણાવાવમાં આવશે. ખેડાવાલા હાલ એસવીપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
મહત્વનું છે કે, અમદાવાદના કોટ વિસ્તાર દાણીલીમડા સહિતના વિસ્તારોમાં કોરોના પોઝિટિવના દર્દીઓ વધી રહયાં હોવાથી સ્થાનિક ધારાસભ્યો ગ્યાસુદીન શેખ, શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાળા તેમના મત વિસ્તારોમાં સતત દોડધામ કરી લોકોને તબીબી ચકાસણી કરવા માટે સમજાવી રહયાં હતાં.
9 દિવસની સારવાર બાદ પણ ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ - અમદાવાદ કોરોના ન્યૂઝ
14 એપ્રિલના રોજ જમાલપુર વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને એસવીપી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. 9 દિવસની સારવાર બાદ પણ આજે તેમનો કોરોનાનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
9 દિવસની સારવાર બાદ પણ ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ
આરોગ્ય વિભાગની ટીમે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો પણ સેમ્પલ લીધા હતાં અને તેનો રિપોર્ટ 14 એપ્રિલ મંગળવારે મોડી સાંજે જાહેર થયો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને તાત્કાલિક એસવીપી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે.