ગુજરાત

gujarat

ETV Bharat / city

પાણીની સમસ્યા બાદ શહેરમાં ગટરના ઢાંકણા તૂટેલા હોવાની ફરિયાદો ઉઠી - અપૂરતા પાણીના પ્રેશરની ફરિયાદ

રાજ્યમાં ચોમાસુ હોવી નજીક આવી રહ્યું છે ત્યારે હજુ પણ અમદાવાદ કૉર્પોરેશન(Ahmedabad Corporation) હજુ પણ નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઇનના(Storm water and drainage lines) ઢાંકણા તૂટેલા હોવાની ફરિયાદો સામે આવી રહી છે.

પાણીની સમસ્યા બાદ શહેરમાં ગટરના ઢાંકણા તૂટેલા હોવાની ફરિયાદો ઉઠી
પાણીની સમસ્યા બાદ શહેરમાં ગટરના ઢાંકણા તૂટેલા હોવાની ફરિયાદો ઉઠી

By

Published : May 25, 2022, 7:32 PM IST

અમદાવાદ:અમદાવાદ કોર્પોરેશનમાં આજ મળેલી કમિટીમાં(Ahmedabad Corporation Committee) શહેરના અનેક વિસ્તારમાં ગટરમાં ઢાંકણા તૂટેલા છે તેવી ફરિયાદો ઉઠી હતી. નરોડા પાટિયાથી લઇ અને ટોરેન્ટ પાવર સુધીના(From Naroda Patiya and Torrent Power) વિસ્તારમાં ગટરના ઢાંકણા છ ઇંચ જેટલા ઊંચા હોવાની ફરિયાદ કમિટીના સભ્યને ફરિયાદ કરવામાં આવી હતી.

અમદાવાદ કોર્પોરેશનમાં આજ મળેલી કમિટીમાં શહેરના અનેક વિસ્તારમાં ગટરમાં ઢાંકણા તૂટેલા છે તેવી ફરિયાદો ઉઠી હતી

આ પણ વાંચો:ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડો : બહેરા તંત્ર સામે પ્રજા પોકારે ત્રાહિમામ, ગંભીર રીતે સર્જાય રહ્યા છે અકસ્માત

તૂટેલા ઢાંકણા બદલવા જ જોઈએ -આજની(બુધવારે) સમિતિની બેઠકમાં ગટરના ઢાંકણા ઉગ્ર ચર્ચાનો વિષય બન્યો હતો. જો વિસ્તારને રાઉન્ડ લેવાતો હોય, તો એન્જિનિયરિંગ વિભાગના સત્તાવાળાઓ અને આસિસ્ટન્ટ સિટી એન્જિનિયરે(Assistant City Engineer) આ પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. જો કે, એવા અહેવાલો હતા કે અધિકારીઓ આસપાસ ફરતા ન હતા, જેથી તેમના વોર્ડના તમામ અધિકારીઓને ચોમાસા પહેલા કોઈપણ તૂટેલા ગટરના ઢાંકણાને ઠીક કરવા અથવા બદલવાની સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો:AMC Solar Tax: અરે વાહ... હવે ઘરે લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ ને મેળવો ટેક્સમાંથી રાહત

પાણીનું પ્રેશર મળતું નથી તેવી પણ ફરિયાદો આવી સામે - શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. હાથીજણના ગરૂડિયા ટેકરા વિસ્તારમાં(Garudia hill area of Hathijan) પાણીના પ્રેશરની ફરિયાદ ઉઠી છે. અપૂરતા પાણીના પ્રેશરની ફરિયાદ(Complaint of insufficient water pressure) બાદ અધિકારીઓને નવો બોર નાખવા અંગે નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉત્તર ઝોનમાં, બાપુનગરની માતૃશક્તિ સોસાયટી અને ચાંદલોડિયા પ્રદેશને વરસાદી પાણીની લાઈનો સ્થાપિત કરવાના આદેશો આપવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details