ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના વધુ 4 તળાવ AMCને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યપ્રધાનનો નિર્ણય - રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ 4 તળાવનો વિકાસ કરવા માટે આ તળાવ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Mar 16, 2021, 8:47 PM IST

  • સરકારે અત્યાર સુધીમાં કુલ 15 તળાવો અમદાવાદ મહાપાલિકાને વિકાસ માટે સોંપ્યા
  • ‘રિયુઝ ઓફ ટ્રિટેડ વોટર’નો અભિગમ આ તળાવો સાકાર કરશે
  • અમદાવાદના નગરજનોને કાયમી ધોરણે મળશે હરવાફરવાના પર્યાવરણપ્રિય સ્પોટ

ગાંધીનગર : મુખ્યપ્રધાન રૂપાણીએ અમદાવાદ મહાનગરપાલિકાને જે 4 તળાવ સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપવાનો જનહિત નિર્ણય કર્યો છે, જેમાં અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના ચેનપુરના સર્વે નંબર 134ની TP 66, FP 208, 213, 223, 224 પર આવેલા 14,694 ચોરસમીટર ક્ષેત્રફળનું ગામ તળાવ, અસારવાના મુઠીયા ગામના બ્લોક નંબર 01માં આવેલા 41,278 ચોરસમીટરનું તળાવ, અસારવાના નરોડાના સર્વે નંબર 493/અ TP 1, FP 459માં આવેલા 1,31,087 ચોરસમીટરનું ગામ તળાવ અને વટવાના વિંઝોલ ખાતે સર્વે નંબર 363 TP 90, FP 8માં આવેલા 81,241 ચોરસમીટરનું તળાવના વિકાસ માટે અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવવા સૂચના આપી છે.

તળાવોમાં રિસાયકલ કરેલું પાણી ભરવામાં આવશે

અમદાવાદ મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને કાયમી ધોરણે હરવાફરવા તેમજ પ્રવાસન-પિકનીકના પર્યાવરણપ્રિય સ્પોટ તરીકે સુંદરતાથી વિકસાવવામાં આવશે. મુખ્યપ્રધાને મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રિટેડ વોટરનો જે અભિગમ અપનાવવા આહવાન કરેલું છે, તે આ તળાવોમાં આવું રિસાયકલ્ડ વોટર ભરીને મહાનગરપાલિકા મુખ્યપ્રધાનના આહ્વાનને સાકાર કરી શકશે. એટલું જ નહીં, અમદાવાદ મહાનગરનું સ્યુએજ વોટર-વપરાયેલું ગંદુ પાણી STP દ્વારા શુદ્ધ કરીને આ તળાવોમાં નાંખવામાં આવતા આ તળાવો બારેય માસ ભરેલા રહેશે, તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઉંચા આવશે. આ તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવાફરવા તેમજ પ્રવાસન પિકનીક માટેના પર્યાવરણપ્રિય સ્પોટનું નવતર નજરાણું ઘર આંગણે મળશે.

કુલ 15 તળાવ મહાનગરપાલિકાને સોંપ્યા

મુખ્યપ્રધાને આ અગાઉ માર્ચ-2020માં 4 તળાવો, જૂન અને જુલાઇ મહિનામાં 1-1 તળાવ અને ઓગસ્ટમાં પાંચ એમ કુલ 11 તળાવો અત્યાર સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાને સિટી બ્યુટીફિકેશન માટે વિનામૂલ્યે સોંપેલા છે. હવે આ વધુ 4 તળાવો પણ અમદાવાદ મહાનગરપાલિકાને સોંપવાના નિર્ણય સાથે કુલ 15 તળાવોના બ્યૂટીફિકેશન અને વિકાસથી અમદાવાદ શહેરની સુંદરતામાં ચાર ચાંદ લાગશે.

સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા 11 તળાવની યાદી

રાજ્ય સરકારે આ અગાઉ જે 11 તળાવો અમદાવાદ મહાપાલિકાને સિટી બ્યૂટીફિકેશન માટે સોંપેલા છે.

  • વેજલપુર તાલુકાના સર્વે નંબર 783 પરનું 32,072 ચોરસમીટર ક્ષેત્રફળનું તળાવ
  • વટવાના સર્વે નંબર 907 પરનું વાંદરવટ તળાવ
  • છારોડીના સર્વે નંબર 251 પરનું સરકારી તળાવ
  • ગોતામાં સર્વે નંબર 1 પરનું ગામ તળાવ
  • શીલજમાં બ્લોક નંબર 86 પરનું સરકારી તળાવ
  • ઘાટલોડીયા તાલુકાના સોલાના સર્વે નંબર 1માં આવેલા 37,194 ચોરસમીટર ક્ષેત્રફળના ગામ તળાવ
  • અમદાવાદના ઘાટલોડીયા તાલુકાના આંબલીના સર્વે નંબર 04 TP પર, FP 6માં આવેલા 21,265 ચોરસમીટર ક્ષેત્રફળનું ગામ તળાવ
  • ઓગણજના સર્વે નંબર 08, TP 228, FP 8માં આવેલા 55,391 ચોરસમીટરનું ગામ તળાવ
  • ઓગણજ સર્વે નંબર 720, TP 221, FP 15માં આવેલા 22,966 ચોરસમીટરનું ગામ તળાવ
  • સોલા સર્વે નંબર 830 TP 221, FP 938માં આવેલા 15,783 ચોરસમીટરનું ગામ તળાવ
  • હેબતપુર બ્લોક નંબર 11 TP 217, FP 11માં આવેલા 34,702 ચોરસમીટરનું ગામ તળાવ

ABOUT THE AUTHOR

...view details