ગુજરાત

gujarat

ETV Bharat / city

ઓઢવ સંરક્ષણ ગૃહમાં રખાયેલા ત્યક્ત બાળકની ખબરઅંતર લેવા પહોંચ્યાં બાળવિકાસપ્રધાન મનીષા વકીલ - ઓઢવ સંરક્ષણ ગૃહ

ગાંધીનગરમાં તરજોડાયેલા બાળકને ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં (Odhav Sanrakshan Griha) રાખવામા આવ્યું છે. જ્યાં તેની દેખરેખ એક ડોકટર, એક નર્સ અને 2 કેરટેકર હેઠળ થઈ રહી છે. બાળકની કસ્ટડી કોને સોંપવી તેના નિર્ણય સુધી આ બાળકને અહીં રાખવામાં આવશે. આ બાળકની ખબરઅંતર લેવા બાળવિકાસપ્રધાન મનીષા વકીલે (Child Development Minister Manisha Vakil) ઓઢવ સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી હતી.

ઓઢવ સંરક્ષણ ગૃહમાં રખાયેલા ત્યક્ત બાળકની ખબરઅંતર લેવા પહોંચ્યાં બાળવિકાસપ્રધાન મનીષા વકીલ
ઓઢવ સંરક્ષણ ગૃહમાં રખાયેલા ત્યક્ત બાળકની ખબરઅંતર લેવા પહોંચ્યાં બાળવિકાસપ્રધાન મનીષા વકીલ

By

Published : Oct 11, 2021, 8:53 PM IST

  • ઓઢવ બાળ સંરક્ષણ ગૃહમાં મૂકાયું ગાંધીનગરમાં તરજોડાયેલું બાળક
  • 0 થી 6 વર્ષના બાળકોને ઓઢવ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવે છેે
  • બાળકની હવે ઓળખ પ્રસ્થાપિત નહીં કરી શકાય
  • બાળકના ભવિષ્ય અને કાયદાકીય રીતે ઓળખ હવે પ્રસ્થાપિત નહીં કરી શકાય
  • મહિલા અને બાળ વિકાસપ્રધાન મનીષા વકીલે બાળકના ખબરઅંતર લીધા

    અમદાવાદઃ ગાંધીનગરમાં તરજોડાયેલું બાળક અમદાવાદમાં ઓઢવ સંરક્ષણ ગૃહમાં 0થી 6 વર્ષના બાળકો સાથે રાખવામાં આવ્યું છે. જ્યુવેનાઈલ જસ્ટિસ 2015 એક્ટ 74૪ હેઠળ બાળકની ઓળખ હવે છતી નહીં કરી શકાય.

મનીષા વકીલ ખબરઅંતર પૂછવા પહોંચ્યાં

બાળવિકાસ પ્રધાન મનીષાબેન વકીલ(Child Development Minister Manisha Vakil) પણ બાળકની ભાળ લેવા માટે ઓઢવ સંરક્ષણ ગૃહ (Odhav Sanrakshan Griha) પહોચ્યાં હતાં. બાળકના ખબરઅંતર લીધાં બાદ બાળકની કસ્ટડી માટે તેના પરિવારનું કોઈ આગળ આવે તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. જોકે બીજી બાજુ મનીષા વકીલે બાળકને બહાર લાવી અને તેનું નામ પણ ઉચ્ચાર્યુ હતું ત્યારે સરકારના જ કાયદાનુ ઉલ્લંઘન કરતાં મનીષાબેન જોવા મળ્યાં હતાં.

બાળકની દેખરેખ એક ડોકટર, એક નર્સ અને 2 કેરટેકર હેઠળ થઈ રહી છે
બાળક સંપૂર્ણ સ્વસ્થ છે


હાલમાં તો બાળક સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ત્યારે ડોક્ટરનું કહેવું છે કે હાલ બાળકને કોઈ પણ પ્રકારની બીમારી નથી તેમજ બાળક બધું સમજે પણ છે. જ્યારે હાલમાં બાળકના પરિવારજનને કસ્ટડી માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

આ પણ વાંચોઃ ગાંધીનગર કોર્ટે તરછોડાયેલા બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો, આ સમગ્ર ઘટનાક્રમ

આ પણ વાંચોઃ Gandhinagar Bar Association: સચિન દીક્ષિતના કેસમાં વકીલોએ અળગા રહેવાનો નિર્ણય કર્યો

ABOUT THE AUTHOR

...view details