ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં વર્ષ 2020ની સરખામણીએ 2021માં ડેન્ગ્યૂના દર્દી 7 ગણા વધ્યા - cases of dengue in Ahmedabad

અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગત વર્ષ એટલે કે 2020ની સરખામણીએ 2021માં નોંધાયેલા ડેન્ગ્યૂના 255 કેસ સામે સપ્ટેમ્બર 2021માં ડેન્ગ્યૂના 1,391 કેસ નોંધાયા છે. આ સિવાય સાદા મેલેરિયાના 2020માં 436 કેસ નોંધાયા હતા. જે 2021માં વધીને 661 થઈ ગયા છે. જ્યારે ઝેરી મેલેરિયાના 2020માં 35 કેસ સામે 2021માં કેસની સંખ્યા વધીને 57 થઈ ગઈ છે. આમ રાજ્ય સરકારના મેલેરિયા નાબૂદીના લક્ષ્ય ઉપર પાણી ફેરવાતું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ચિકનગુનિયા 2020માં 196 કેસ પણ 2021માં વધીને 696 થઈ ગયા છે.

અમદાવાદમાં વર્ષ 2020ની સરખામણીએ 2021માં ડેન્ગ્યૂના દર્દી 7 ગણા વધ્યા
અમદાવાદમાં વર્ષ 2020ની સરખામણીએ 2021માં ડેન્ગ્યૂના દર્દી 7 ગણા વધ્યા

By

Published : Sep 28, 2021, 11:05 PM IST

  • શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની વકરતી પરિસ્થિતિ
  • ડેન્ગ્યૂના કેસ ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સાત ગણા વધ્યા
  • ટાઈફોઈડના 2020માં 965 કેસ સામે 2021માં 1544 કેસ નોંધાયા

અમદાવાદ: વર્ષ 2020 અને 2021ના સપ્ટેમ્બર મહિના સુધીના નોંધાયેલા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વાત માત્ર મચ્છરજન્ય રોગચાળા સુધી જ નથી અટકતી પણ પાણીજન્ય રોગચાળામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર 2020 સુધીમાં ઝાડા-ઉલ્ટીના 2072 કેસ નોંધાયા હતા. જે 2021માં 2650 સુધી પહોંચ્યા છે. આ સાથે કમળાના 2020માં 540 કેસ નોંધાયા હતા. જે 2021માં વધીને 989 થઈ ગયા છે. ટાઈફોઈડના 2020માં નોંધાયેલા 965 કેસ સામે 2021માં 1544, જ્યારે કોલેરાના 2020માં એક પણ કેસ નોંધાયા ન હતા, પણ 2021માં 64 કોલેરાના કેસ પણ નોંધાયા છે.

ક્લોરિન ટેસ્ટ કરતા 202માં ક્લોરીન નિલ મળી આવ્યા

શહેરમાં વધતા જતા અને રોગચાળાને ધ્યાનમાં રાખીને મ.ન.પા.એ વિવિધ કામગીરી કરી હોવાના દાવા પણ કર્યા છે. જેમાં 25 સપ્ટેમ્બર 2021 સુધી કુલ 1,16,761 લોકોના લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી હોવાનો દાવો મ.ન.પા.એ કર્યો છે. જ્યારે ડેન્ગ્યૂ માટે 6,092 સિરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ મચ્છરોની નાબૂદી માટે ઇન્ડોર રેસિડ્યુઅલ સ્પ્રેનો છંટકાવ પણ કરી રહી છે. આ સાથે પાણીજન્ય રોગચાળા ઉપર કાબૂ મેળવવા માટે 73,510 ક્લોરિન ટેસ્ટ કરતા તે પૈકીના 202માં ક્લોરિન નિલ મળી આવ્યા છે. જયારે 7,992 બેકટોરિયોલોજીકલ તપાસ માટે લીધેલા પાણીના નમૂનાઓ સામે 156 નમૂનાઓ ફેલ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details