ગુજરાત

gujarat

Camp Hanuman Shobhayatra: અમદાવાદમાં કેમ્પના હનુમાન દાદા આખરે 2 વર્ષ પછી નીકળ્યા નગરચર્યાએ

By

Published : Apr 16, 2022, 8:11 AM IST

અમદાવાદમાં આવેલા પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિરે ભગવાન હનુમાનજીની શોભાયાત્રા (Camp Hanuman Shobhayatra) યોજી હતી. કોરોનાના કારણે આખરે 2 વર્ષ પછી આ શોભાયાત્રાનું આયોજન (Lord Hanuman Jayanti 2022) કરવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

Camp Hanuman Shobhayatra: અમદાવાદમાં કેમ્પના હનુમાન દાદા આખરે 2 વર્ષ પછી નીકળ્યા નગરચર્યાએ
Camp Hanuman Shobhayatra: અમદાવાદમાં કેમ્પના હનુમાન દાદા આખરે 2 વર્ષ પછી નીકળ્યા નગરચર્યાએ

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા અને ચૈત્રી પૂનમે હનુમાનજીની જન્મજયંતીએ (Lord Hanuman Jayanti 2022) યોજાતી પવનપૂત્રની શોભાયાત્રા પ્રખ્યાત છે. આ બંને યાત્રાઓમાં અમદાવાદીઓ મોટા પાયે જોડાય છે. ઢોલનગારા, ભજન મંડળીઓ, અખાડા અને પુષ્પની વર્ષા સાથે આ યાત્રા નગરમાં ફરે છે. યાત્રા ભાવિક ભકતોમાં ભક્તિ અને પ્રસાદની વહેંચણી કરે છે.

અમદાવાદના પ્રખ્યાત કેમ્પના હનુમાન

અમદાવાદના પ્રખ્યાત કેમ્પના હનુમાન -અમદાવાદમાં આર્મી કેન્ટોનમેન્ટ બોર્ડ વિસ્તારમાં પ્રખ્યાત કેમ્પ હનુમાન મંદિર આવેલું છે. દર શનિવારે અને મંગળવારે અહીં ભાવિક ભક્તોની ભીડ ઉમટે છે. આમ, તો મંદિર ટ્રસ્ટ સ્વતંત્ર છે, પરંતુ કેન્ટોનમેન્ટ વિસ્તાર હોવાથી પ્રવેશની સમગ્ર પ્રક્રિયા આર્મી અંતર્ગત છે. સમગ્ર અમદાવાદમાં આ મંદિર પ્રત્યે મોટી આસ્થા છે. હનુમાન જયંતીના દિવસે (Lord Hanuman Jayanti 2022) અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અહીંથી ભવ્ય શોભાયાત્રા (Camp Hanuman Shobhayatra) નીકળે છે.

શોભાયાત્રાનો રૂટ -દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે કેમ્પના હનુમાન દાદા અમદાવાદના લોકોને દર્શન આપવા સ્વયં યાત્રાએ (Camp Hanuman Shobhayatra) નીકળે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે આ શોભાયાત્રા (Camp Hanuman Shobhayatra) યોજાઈ શકી નથી. ત્યારે આ વર્ષે હર્ષોલ્લાસપૂર્વક કેમ્પ હનુમાન મંદિરથી આ શોભાયાત્રા (Camp Hanuman Shobhayatra) નીકળી છે. મંદિરથી નીકળીને આ શોભાયાત્રા શાહીબાગ થઈને આશ્રમ રોડ પર આવે છે. ત્યાંથી વાડજ સર્કલથી વાસણા સુધી હનુમાનજીના પિતા વાયુદેવના મંદિરે આ શોભાયાત્રા પહોંચે છે, જ્યાં હનુમાનજીના પિતાના દર્શન બાદ આ યાત્રા નીજ મંદિરે પરત ફરે છે.

આ પણ વાંચો-Hanuman Jayanti 2022: આ વર્ષે ઉદયતિથિમાં ઉજવવામાં આવશે હનુમાન જયંતિ, જાણો શું છે શુભ મુહૂર્ત

આ વર્ષની તૈયારીઓ -આ વર્ષે હનુમાનજીના રથને વિશેષ ડિઝાઈન કરવામાં આવ્યો છે. હનુમાનજીના રથની પાછળ ફૂલોની વર્ષા કરતી તોપ પણ મૂકવામાં છે. જ્યારે 14 સુશોભિત ટ્રકો અને 5 અન્ય નાના સુશોભિત વાહનો સાથે નગરયાત્રા નીકળી છે. આ યાત્રામાં 150થી 200 જેટલા ટૂવ્હીલર અને 50 ગાડીઓ (Camp Hanuman Shobhayatra Preparation) જોડાઈ છે. શોભાયાત્રામાં કરતબો કરતા વિવિધ અખાડા પણ જોડાયા છે. તો નાસિક ઢોલ અને ઝાલર સાથે આ શોભાયાત્રા નીકળી છે. શોભાયાત્રા સાથે પ્રસાદનું પણ વિતરણ (Camp Hanuman Shobhayatra) કરવામાં આવે છે. પ્રસાદમાં ચણા અને બૂંદી મુખ્ય હોય છે.

આ પણ વાંચો-Hanuman Jayanti 2022 : ભાવનગરના ગોળીબાર હનુમાનજીનું નામ "ગોળીબાર" કેમ ? હનુમાન જયંતિ નિમિતે જાણો મહત્વ

શોભાયાત્રામાં સામાજિક સંદેશ - વર્તમાનમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમિયાન દેશમાં અનિચ્છનીય ઘટનાઓ બની છે. ત્યારે આ શોભાયાત્રામાં 7 ટેબ્લો દ્વારા ધાર્મિક અને સામાજિક સંદેશ આપવાનો (Social message in Shobhayatra) પ્રયત્ન કરાયો છે. યાત્રાને પોલીસ સુરક્ષા પણ અપાય છે. તો આ શોભાયાત્રાનું 40 જગ્યાએ સ્વાગત કરાયું હતું. જ્યાં ભક્તોને છાશ, કેળા, સૂકો નાસ્તો, પાણી વગેરેની વ્યવસ્થા કરાય છે. આ યાત્રા દરમિયાન 12,000 પેકેટ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details