કોરોનાને કારણે 21 અને 22 નવેમ્બરે યોજાનારી ભાજપની ચિંતન બેઠક રદ - સીએમ વિજય રુપાણી
દિવાળીના તહેવારોના કારણે ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ વકરી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ 21 અને 22 નવેમ્બરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાનારી ચિંતન બેઠક રદ કરી છે.

કોરોનાને કારણે 21 અને 22 નવેમ્બરે યોજાનાર ભાજપની ચિંતન બેઠક રદ
● કોરોનાને કારણે ભાજપની ચિંતન બેઠક રદ
● 21 અને 22 નવેમ્બરે યોજાનારી હતી ચિંતન બેઠક
● ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં યોજાવાની હતી બેઠક
અમદાવાદઃ દિવાળી તહેવારોના દિવસો બાદ કોરોના વિસ્ફોટને લઇને સમગ્ર તંત્ર દોડાદોડીમાં લાગી ગયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સમયાંતરે યોજાતી ચિંતન બેઠકના આયોજન પર પણ કાલે અવઢવ સર્જાઈ હતી જેનો નિર્ણય આજે લેવાઈ ગયો છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને પાર્ટીની ચિંતન બેઠકને રદ જાહેર કરવામાં આવી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાનાર ચિંતન બેઠક રદ