BAPS સંસ્થાના વડા મહંત સ્વામીને જન્મદિને શુભેચ્છા પાઠવતું ભાજપ - પ્રમુખસ્વામી મહારાજ
બોચાસણ નિવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનના આચાર્ય મહંત સ્વામી મહારાજના 87મા જન્મદિવસ નિમિતે ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ મુખ્ય પ્રવકતા ભરત પંડ્યાએ તેમને જન્મદિનની શુભકામનાઓ પાઠવી હતી.

અમદાવાદઃ બોચાસણ નિવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનના આચાર્ય મહંત સ્વામી મહારાજનો 87મો જન્મદિવસ છે. તેમનો જન્મ 13 સપ્ટેમ્બર 1933ના રોજ મધ્યપ્રદેશના જબલપુર ખાતે થયો હતો. તેમનું મૂળનામ વિનુભાઈ પટેલ છે. તેમના પિતાનું નામ મણિભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબેન પટેલ છે. મહંત સ્વામીએ પોતાનો શાળાકીય અભ્યાસ ખ્રિસ્તી શાળામાંથી પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ આણંદની કૃષિ યુનિવર્સીટીમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેઓ પોતાના કોલેજ કાળમાં યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા અને તેમના સાન્નિધ્યમાં યાત્રા કરવા તેમજ રહેવા લાગ્યા.