- ગુજરાતમાં આગામી વર્ષના નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે
- ગુજરાતની જનતાએ નક્કી કરી લીધુ છે કે હવે ભાજપને તક આપવી નથી
- ગુજરાતના લોકોએ સરકાર બદલવાનું મન બનાવી લીધું છે
નવીદિલ્હી/અમદાવાદ: કોંગ્રેસના ગુજરાત એકમના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યપ્રધાનના રાજીનામાને લઇને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. પટેલે એક વીડિયોના માધ્યમથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં એ પણ આક્ષેપ કર્યો છે કે, મુખ્યપ્રધાને પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે રાજીનામું આપ્યું છે.
ગુજરાતની છ કરોડની જનતાએ સરકાર બદલવાનું મન બનાવી લીધું છે: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે કહ્યું કે, ભાજપે માત્ર મુખ્યપ્રધાન બદલ્યા છે, પરંતું ગુજરાતની છ કરોડની જનતાએ સરકાર બદલવાનું મન બનાવી લીધું છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો છે કે, છેલ્લા કેટલા વર્ષોથી ચાલતી આવેલી ભાજપની ખોટી નીતિના કારણે લોકો દુખી છે. લાખો યુવાનો બેરોજગાર થયા છે. મહિલાઓની સુરક્ષાને લઇને સવાલ ઉભા થયા છે.
બધા જાણે છે કે કોરોના મહામારીના સમયમાં ગુજરામાં શું સ્થિતિ હતી: હાર્દિક પટેલ