અમદાવાદ :રાજ્યમાં આકસ્મિક આગની ઘટનાઓ તો સામે આવતી જ હોય છે, પરંતુ અમદાવાદના બાપુનગરમાં કોઈ શખ્સ એક વ્યક્તિની ગાડીમાં (Bapunagar Vehicle Fire) આગ લગાડી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે.બાપુનગર ડાયમંડ માર્કેટ પાસે આંગડિયા પેઢીના માલિકની ગાડીની અજાણ્યા શખ્સ આગ લગાડી છે. પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીને એક શખ્સ દ્વારા આગ લાગવાનો બનાવ સામે આવતા બાપુનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ (Bapunagar Police Station) તપાસ હાથ ધરી છે.
બાપુનગરમાં અડધી રાત્રે એક વ્યક્તિ ગાડીમાં આગ લગાવી ફરાર આ પણ વાંચો:Accident in Surat: બાળકીની બહાર ફરવાની જીદે આખા પરિવારને ચોધાર આંસુએ રડાવ્યા
આગ લગાવવા પાછળનુ કારણ શું? - આ આગ લગાડવાની ઘટના સામે આવતા આ આગ કોણે લગાડી તેને લઈને બાપુનગર પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં આવારા તત્વો હજુ પણ ક્યાંક ને (Ahmedabad Fire Case) ક્યાં જોવા તો મળે જ છે. ત્યારે આમ, જાહેરમાં ગાડીને આગ લગાડી ફરાર થતાં આસપાસના વિસ્તારમાં ભારે ભય ફેલાયો હતો. જોકે, હવે તો તે પોલીસની તપાસ બાદ પુરતું રહસ્ય જાણવા મળશે કે આ આગ લગાવવા પાછળનુ કારણ શું હતું.
આ પણ વાંચો:Neeraj Chopra car accident: ગોલ્ડન બોય તરીકે જાણીતા નીરજ ચોપરાની કારને પાનીપતમાં નડ્યો અકસ્માત
પોલીસ ચોકી નજીક બનાવ બન્યો - બાપુનગર ડાયમંડ માર્કેટમાં આવેલી પી.શૈલેષ આંગડિયા પેઢીના કર્મચારીના વાહનમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરાતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ તો મેળવી લીધો હતો, પરંતુ સમગ્ર બનાવને લઈને એક બાબત એ પણ સામે આવી છે કે, ઘટના સ્થળથી આશરે થોડા જ અંતરે ડાયમંડ પોલીસ (Ahmedabad Crime Case) ચોકી આવેલી છે. ત્યારે નવાઈની વાત એ છે કે આગ લાગી ત્યારબાદ સ્થાનિક પોલીસ (Ahmedabad Vehicle Fire) ચોકીના પોલીસ કર્મીઓ અજાણ હતા.