ગુજરાત

gujarat

ETV Bharat / city

યોગ દિવસ પૂર્વે અમદાવાદ આવેલા બાબા રામદેવે કહ્યું, મે પાટીદારોના રોટલા ખાધા છે - રામદેવ અમદાવાદ

વિશ્વ યોગ દિવસ (World Yoga Day 21 June) પહેલા અમદાવાદ (Yog Guru Baba Ramdev In Ahmedabad) આવેલા બાબા રામદેવે ઉમિયાધામ જાસપુરની મુલાકાત લીધી હતી. રામદેવ બાબાએ ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરની શિલાનું પૂજન કર્યું હતું. સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલ તેમજ ઉપપ્રમુખ પ્રહલાદ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત બાબા રામદેવ સાથે અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને રાજ્યપાલે યોગા કર્યા હતા.

યોગ દિવસ પૂર્વે અમદાવાદ આવેલા બાબા રામદેવે કહ્યું, મે પાટીદારોના રોટલા ખાધા છે
યોગ દિવસ પૂર્વે અમદાવાદ આવેલા બાબા રામદેવે કહ્યું, મે પાટીદારોના રોટલા ખાધા છે

By

Published : Jun 19, 2022, 10:56 PM IST

અમદાવાદ: યોગ દિવસ પહેલા (World Yoga Day 21 June) અમદાવાદ આવેલા બાબા રામદેવે (Yog Guru Baba Ramdev In Ahmedabad) ગુજરાતના મહાનગર અમદાવાદની મુલાકાત લીધી હતી. અમદાવાદથી તેઓ જાસપુરમાં આવેલા ઉમિયા (Umiya Temple Jaspur Ahmedabad) માતાજીના મંદિરે ગયા હતા. જ્યાં શિલા પૂજન કર્યું અને માતાજીના દર્શન કર્યા હતા. બાબા રામદેવે અમદાવાદ આવીને પાટીદારોના (Patidar Community Ahmedabad) આ કામની પ્રશંસા કરી છે. અમદાવાદ આવીને બાબા રામદેવે યોગ વિશે લોકોને માહિતગાર કર્યા હતા.

યોગ દિવસ પૂર્વે અમદાવાદ આવેલા બાબા રામદેવે કહ્યું, મે પાટીદારોના રોટલા ખાધા છે

આ પણ વાંચો:અગ્નિપથ યોજનાને લઈને કોંગ્રેસ પર વીકે સિંહ ભડક્યા, કહ્યું..

સૌથી ઊંચા મંદિરની પ્રશંસા: અમદાવાદ આવીને બાબા રામદેવે વિશ્વના સૌથી ઊંચા બનવા જઈ રહેલા મા ઉમિયાના મંદિરની પ્રશંશા કરી હતી. પાટીદારોને પોતાની આવકના 06 થી 10 ટકા વિશ્વઉમિયાધામને આપવા અપીલ કરી હતી. જેના થકી શ્રેષ્ઠ પાટીદાર સમાજનું નિર્માણ થઈ શકે. બાબા રામદેવે પાટીદારોનું ઋણ સ્વીકારતાં કહ્યું કે, હું પટેલ સમાજના રોટાલા અને ઢેબરા ખાઈને મોટો થયો છું. મને મોટો કરવામાં પાટીદાર સમાજનું પ્રદાન છે. લેઉવા અને કડવા અલગ નથી, બંને ઉમિયા માતાજીના સાનિધ્યમાં સંગઠિત થાય.

યોગ દિવસ પૂર્વે અમદાવાદ આવેલા બાબા રામદેવે કહ્યું, મે પાટીદારોના રોટલા ખાધા છે

આ પણ વાંચો:અગ્નિપથ આંદોલનના કારણે ગુજરાતમાંથી આ રાજ્યમાં જતી ટ્રેનો થઇ રદ્દ

શિલાપૂજન થયું:આ પ્રસંગે વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી વિશ્વઉમિયાધામનું નિર્માણ થાય ત્યાં સુધી વિશ્વની વિભુતિઓ જગત જનની મા ઉમિયાના મંદિરનું શિલાપૂજન કરતી રહે અને માતાજીના દર્શને આવે. જેથી તેમની ઉર્જા આ ભૂમિ પર સંચિત થાય. સંતોના આશીર્વાદથી આ કાર્ય ઝડપથી સંપન્ન થાય એ જ અભ્યર્થના છે. આ પ્રસંગે બાબા રામેદેવ કહ્યું કે, સમય સંગઠિત થવાનો છે. બધા એક જ છે. તથા વિશ્વઉમિયાધામ સનાતન ધર્મનું સૌથી ગૌરવપૂર્ણ ધામ છે.

ABOUT THE AUTHOR

...view details