ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ઓટો રીક્ષા શરૂ, જાણો રીક્ષા ડ્રાઈવરની આપવીતી - અમદાવાદમાં અનલોક-1

રાજ્યમાં સોમવારથી અનલોક-1ને લઇને જનજીવન પુનઃ ધબકતું જોવા મળી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં અઢી મહિના બાદ જનજીવન સામાન્ય થતા રસ્તાઓ પર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યારે અમદાવાદની વાત કરીએ તો શહેરમાં અનલોક-1ની શરૂઆત થઇ ગઇ છે. તો આવો જાણીએ અમદાવાદના ઓટો રીક્ષા ડ્રાઈવરની આપવીતી...

ETV BHARAT
અમદાવાદમાં ઓટો રીક્ષા ચાલુ, જાણો રીક્ષા ડ્રાઈવરની આપવીતી

By

Published : Jun 1, 2020, 8:00 PM IST

અમદાવાદઃ શહેરમાં લોકડાઉન જાહેર કરાયા બાદથી જ શહેરના રસ્તાઓ પર રીક્ષાઓ બંધ કરી દેવામાં આવી હતી. જો કે, 2 મહિનાથી બંધ રીક્ષા ચાલકોને હવે આજથી રાહત થઇ છે. સરકારની છૂટછાટ બાદ શહેરમાં રિક્ષાઓ ફરતી થઇ ગઇ છે, પરંતુ રીક્ષા ચાલકોને માત્ર 2 પ્રવાસીને બેસાડવાની પરવાનગી આપવામાં આવી છે.

અમદાવાદમાં ઓટો રીક્ષા ચાલુ, જાણો રીક્ષા ડ્રાઈવરની આપવીતી

આ અંગે રીક્ષા ચાલક અસલમ શેખે જણાવ્યું હતું કે, રીક્ષાના સંચાલન અંગે સરકારે આપેલી માર્ગદર્શિકાથી અમે ખુશ નથી. કારણ કે, રીક્ષામાં માત્ર 2 પ્રવાસીને બેસાડી શકાય છે. જે વધુ મુશ્કેલી પેદા કરે છે. આવામાં આપણે શું કમાઇશું અને શું ખાઇશું? આટલા ઓછા પ્રવાસી સાથે રીક્ષા કેવી રીતે ચાલશે? જો કોઈ પ્રવાસી સાથે તેમના માતા-પિતા અને નાના બાળકો હોય, તો શું તેમને બીજી રીક્ષા લેવી પડશે? આના માટે સરકારને કઈં કરવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details