ગુજરાત

gujarat

ETV Bharat / city

કૉંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ જગદીશ ઠાકોરનો કર્યો બચાવ, કહ્યું... - બજરંગ દળનો વિરોધ

કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના નિવદેનને (Jagdish Thakor Statement) લઈને બજરંગ દળ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે હજ હાઉસ લખી વિરોધ કર્યો હતો. જેને લઈને કોંગ્રેસ પક્ષમાં (Bajrang Dal protest) અફરાતફરી મચી ગઈ હતી. ત્યારે જગદીશ ઠાકોરના નિવદનને લઈને અર્જુન મોઢવાડિયાએ (Arjun Modhwadia attack on BJP) ભાજપ પર આકરા પ્રહાર કર્યો છે.

કૉંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ જગદીશ ઠાકોરનો કર્યો બચાવ, કહ્યું...
કૉંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ જગદીશ ઠાકોરનો કર્યો બચાવ, કહ્યું...

By

Published : Jul 25, 2022, 10:39 AM IST

Updated : Jul 25, 2022, 12:07 PM IST

અમદાવાદ :અમદાવાદ ખાતે થોડા દિવસ પહેલા જગદીશ ઠાકોર (Jagdish Thakor Statement) આપેલા વિવાદિત નિવેદન કારણે બજરંગ દળ દ્વારા વહેલી સવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે હજ હાઉસ લખી અને કોંગ્રેસના નેતા પર કાળી શાહી લગાવતા (Bajrang Dal Protest) ખળભળાટ જોવા મળ્યો હતો. જેમાં કારણે ગુજરાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, કેમ મોંઘવારી પર વેટ કરવામાં આવતી નથી. ખેડૂતની આવક ડબલ નહીં પણ (Arjun Modhwadia Attack on BJP) તેમના મિત્રોની આવક ડબલ થઈ છે.

અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર કર્યો આકરા પ્રહાર

"ઠાકોરની પૂરી સ્પીચ દર્શાવવામાં આવી નથી" - અર્જુન મોઢવાડિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જે જગદીશ ઠાકોર નિવેદન આપવામાં આવ્યું હતું. તે તોડી મરોડીને રજુ કરવામાં આવ્યું છે. ભાજપ સરકાર દ્વારા ગઈકાલે રાત્રે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જેને પગલે વહેલી સવારે (Jagdish Thakor Minority Controversy) બજરંગ દળના લોકોએ કોંગ્રેસ કાર્યાલયની દીવાલો પ્રદૂષિત કરી છે.જગદીશ ઠાકોરની પૂરી સ્પીચ દર્શાવવામાં આવી નથી. ભૂતકાળમાં પણ મનમોહન સિંહ સ્પીચને પણ ભાજપ સરકારે આવી રીતે દર્શાવી હતી.

દેશની તિજોરી પર જનતાનો અધિકાર છે -વધુમાં જણાવ્યું હતું કે, દેશની તિજોરી પર દેશની પ્રજા એટલે સામાન્ય જનતાનો અધિકાર છે. પરંતુ હાલમાં તેવું લાગી રહ્યું છે. મોંઘવારીનો ડામ આપીને સરકારની તિજોરી પર અંબાણી અને અદાણી હોય છે. જનતાની આવક ડબલ થઈ નથી. પરંતુ તેમના મિત્રોની આવક ડબલ થઈ રહી છે. આ સરકાર ગરીબોની નહીં પણ ઉદ્યોગપતિની સરકાર છે. દેશનો ખેડૂત વર્ગ દેવા પાછળ જઇ રહ્યો છે ને ભાજપ ઉદ્યોગપતિના 8 કરોડના દેવા માફ કરી રહી છે.

આ પણ વાંચો :Jagdish Thakor Minority Controversy : VHPના 'હજ હાઉસ' વિરોધ બાદ ઠાકોરના બચાવ માટે કોંગ્રેસ મેદાને પડી

ભાજપ સરકારએ મોંઘવારી ડામ આપ્યા -અર્જુન મોઢવાડિયા ભાજપ સરકાર મોંઘવારીને લઇ આકરા પ્રહાર કર્યા હતા કે, કોઈ ગરીબ પરિવારે લાઈટ બિલ ના ભરતું હોય તો બીજા દિવસે તેની કનેક્શન કાપી લેવામાં આવે છે. હિન્દૂને સ્મશાન માટે લાકડા પર 18 ટકા GST લગાવી દેવામાં આવ્યો છે. ખાદ્ય ચીજવસ્તુ પર પણ આ સરકારે GST લગાવીને મોંઘવારીથી 400 થી 600 રૂપિયા જેટલો ખર્ચે માત્ર GSTમાં જ આપવો પડી રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન કેમ બિરયાની ખાવા લાહોર ગયા હતા. રાજસ્થાનમાં પણ ગરીબ માણસનું ગળું કાપનાર ભાજપ સરકારનો માણસ નીકળ્યો હતો.ભાજપ દેશમાં હિંસા ફેલાવવામાં આવી રહી છે.દેશની જનતા આજ પોતાના ઘરની અંદર સુરક્ષિત નથી.અને ચૂંટણીમાં હાર દેખાય ત્યારે આવા કામો કરી લોકોને આંખમાં ધૂળ નાખવાનું કામ કરવામાં આવે છે.

આ પણ વાંચો :પાર્ટી છોડનારા નેતાઓ અંગે કૉંગ્રેસ પ્રભારીએ કંઈક આ રીતે માર્યો ટોણો

ક્રોસ વોટિંગ- રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગુજરાતમાં 10 કોંગ્રેસ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરવામાં આવ્યું હતું. તે અંગે સવાલ કરતા કહ્યું હતું કે, આ ચેનલો દ્વારા ખોટી માહિતી આપવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસના ધારાસભ્યો પર પૂરેપૂરો વિશ્વાસ છે. એક પણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કર્યું નથી. પરંતુ હજુ પણ એવું લાગતું હશે તો જરૂર લાગશે તો ચકાસણી કરીશું.

Last Updated : Jul 25, 2022, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details