દલિતો પર વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે આગોતરા જામીન મેળવવા રાજ શેખાવત હાઈકોર્ટના દ્વારે - કર્ણી સેનાના પ્રમુખ રાજ શેખાવત
અમદાવાદ: કર્ણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે કચ્છના રાપરમાં દલિત સમુદાય વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને દાખલ થયેલી ફરિયાદના ભાગરૂપે હાઈકોર્ટમાં આગતોરા જામીન દાખલ કરતા જસ્ટિસ બી.એન. કારીયાએ રિટને માન્ય રાખી વધુ સુનાવણી 4 ડિસેમ્બરના રોજ નિયત કરી છે.

રાજ શેખાવત હાઈકોર્ટના દ્વારે
રામજી ભદ્રુ નામના સ્થાનિક દલિત આગેવાનને રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી કે, રાજ શેખાવતે જાહેર કાર્યક્રમમાં રાપર તાલુકામાં અનુસુચિત જાતિના લોકો વિરૂદ્ધ ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ ધમકીના ભાગરૂપે રાપર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવશે. પોલીસે IPCની કલમ 153 (અ) (બ), 504, અને 506 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. નીચલી કોર્ટે આરોપી રાજ શેખાવતના જામીન ફગાવતા તેણે ધરપકડ ટાળવા માટે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.