- મોહરમ માસની શરૂઆત થઈ ગઈ છે
- તાજીયાનું જૂલુસ કાઢવામાં આવશે નહી
- કોરોનાના કેર વચ્ચે તાજીયા કમિટીનો નિર્ણય
અમદાવાદ : પવિત્ર મોહરમ ( Muharram 2021 )માસ શરૂ થઈ ગયો છે, ત્યારે મહિનામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇમામ હુસૈનની શહાદતની યાદમાં નવમાં અને દસમા ચાંદે મોહરમનું જૂલુસ કાઢવામાં આવે છે. આથી આ વર્ષે કોરોનાને કારણે તાજીયા ઉજવાશે કે નહી તે અંગે ઘણી અટકળો જોવા મળી રહી હતી, પરંતુ સેન્ટ્રલ તાજીયા કમિટીના ચેરમેન પરવેઝ મોમીને ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે પણ કોરોના કાળા કેરને કારણે મોહરમનું જૂલુસ કાઢવામાં આવશે નહીં. ગુજરાતમાં તાજીયા કાઢવા માટે સેટ્રલ તાજીયા કમિટીએ અમદાવાદ પોલીસ કમિશ્નર પાસેથી પરવાનગી માંગવામાં આવી હતી.