ગુજરાત

gujarat

ETV Bharat / city

શુક્રવારથી STની વધુ 40 પ્રીમિયમ બસ શરૂ થશે - અનલોક4

કોરોના વાયરસને કારણે અપાયેલા લોકડાઉન બાદ અનલોક પ્રક્રિયામાં જુદાજુદા પબ્લિક ટ્રાન્સપોર્ટ પોતાની રીતે ટ્રાન્સપોર્ટેશનની સેવાઓમાં વધારો કરી રહ્યાં છે. જેમાં ડોમેસ્ટિક ફ્લાઇટ, સ્પેશિયલ અને ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા પણ પોતાની સર્વિસમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત શુક્રવારથી રાજ્યમાં એસટી વિભાગે વધુ 40 પ્રીમિયમ બસો દોડાવવાની જાહેરાત કરી છે.

આવતીકાલથી STની વધુ 40 પ્રીમિયમ બસો શરૂ થશે
શુક્રવારથી STની વધુ 40 પ્રીમિયમ બસ શરૂ થશે

By

Published : Sep 10, 2020, 5:29 PM IST

અમદાવાદઃ શુક્રવારથી રાજ્યમાં વધુ વોલ્વો બસો ઉપરાંત એસી સ્લીપર અને એસી સીટર બસો દોડશે. જેમાં 22 ઓગસ્ટે પ્રીમિયમ બસો શરૂ કરવાના પ્રથમ ફેઝમાં 40 બસો શરૂ કરી હતી, જેમાં હવે વધુ 40 બસો ઉમેરાતાં કુલ 80 પ્રીમિયમ બસો રાજ્યના માર્ગો પર દોડતી થઈ જશે.

શુક્રવારથી STની વધુ 40 પ્રીમિયમ બસ શરૂ થશે
પ્રીમિયમ બસોને લઈને પ્રજાના સારા પ્રતિસાદને જોતાં વધુ બસો દોડાવવાનો નિર્ણય એસ.ટી.વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અનલોક બાદ બીજા ફેઝમાં 12 વોલ્વો સીટર, 24 એસી સીટર, 4 એસી સ્લીપર બસો પણ શરૂ થશે. એટલે કે કુલ વોલ્વો 29, એસી સિટર 37 અને એસી સ્લીપર 14 એમ 80 પ્રીમિયમ બસો દોડશે.
શુક્રવારથી STની વધુ 40 પ્રીમિયમ બસ શરૂ થશે
જેમાં વોલ્વો બસો અમદાવાદ-રાજકોટ, નહેરુનગર-સુરત, ભુજ-રાજકોટ અને સુરત-ગાંધીનગર રૂટ ઉપર દોડશે. જ્યારે એસી સીટર બસો અમદાવાદ, ડીસા, દાહોદ ભાવનગર, મોરબી, દીવ, મહુવા અને અંબાજી માટે દોડશે. જયારે એસી સ્લીપર બસો ઉમરગામ,અંબાજી અને સુરત રૂટ ઉપર દોડશે.

ABOUT THE AUTHOR

...view details