- પાટડી જનતાને ભવિષ્યમાં પેસેન્જર ટ્રેનની સુવિધા મળવા આશાનું કિરણ
- રેલવે સ્ટેશન ખાતે પ્રોજેક્ટ ડિરેક્ટરના હસ્તે કરાયું ભૂમિપૂજન
- પાટડીમાં રેલ વિદ્યુતિકરણ હેઠળ ખારાઘોડા સુધી વિદ્યુત એન્જિન ચાલુ કરાશે
- માલગાડી દ્વારા મીઠાની નિકાસ થઈ શકશે
અમદાવાદઃ પાટડીમાં રેલ વિદ્યુતીકરણ હેઠળ ખારાઘોડા સુધી વિદ્યુત એન્જિન શરૂ કરાશે - Electric Engine
પાટડીમાં રેલ વિદ્યુતિકરણ હેઠળ વિદ્યુત એન્જિન ચાલુ કરવામાં આવશે. રેલવે સ્ટેશન ખાતે પ્રોજેક્ટ ડિરેક્ટરના હસ્તે ભૂમિપૂજન કરી આ કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નજીકના સમયમાં પેસેન્જર ટ્રેન ચાલુ કરવાની કાર્યવાહી પણ કરી શકાશે.

પાટડીમાં ખારાઘોડા સુધી વિદ્યુત એન્જિન શરૂ કરાશે
વિરમગામઃ પાટડીની જનતાને નજીકના ભવિષ્યમાં પેસેન્જર ટ્રેનની સુવિધા મળી રહે તે માટે આ કાર્યથી આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. પાટડી રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગ અમદાવાદના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્યામસુંદર મંગલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડિરેક્ટરે આ અંગે જણાવ્યું કે, પાટડી સુધી રેલવે વિદ્યુતિકરણ થવાથી ઝડપી માલગાડી દ્વારા મીઠાની નિકાસ કરી શકાશે. આ ઉપરાંત વિરમગામથી ખારાઘોડા તરફ રેલવે લાઈનનો વિકાસ ઝડપી થશે. નજીકના સમયમાં પેસેન્જર ટ્રેન ચાલુ કરવાની કાર્યવાહી કરી શકાશે.