અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2021ની ચૂંટણીમાં (AMC Election 2021) કુબેરનગર વોર્ડની ચૂંટણી માટે આજે પુનઃમતગણતરી થઈ હતી. જોકે, મતગણતરી પછી પણ પરિણામમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નહતો. કારણ કે, આ વખતે પણ કૉંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાણીની હાર થઈ છે. જ્યારે ભાજપના કાઉન્સિલર ગીતાબા રાઠોડનો (BJP councilor Gitaba Rathore) વિજય થયો છે. આશ્ચર્યની વાત એ છે કે, મતગણતરીના તમામ રાઉન્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર ભાજપના ઉમેદવાર કરતાં ખૂબ જ આગળ હતાં, પરંતુ છેવટે તો કૉંગ્રેસના ઉમેદવારે હારનો જ સામનો કરવો પડ્યો હતો.
કૉંગ્રેસ ઉમેદવાર ગયા હતા કોર્ટની શરણે -આપને જણાવી દઈએ કે, અગાઉ આ વોર્ડમાં કૉંગ્રેસની પેનલની જીત થઈ હતી. જોકે, કૉંગ્રેસ ઉમેદવાર જગદીશ મોહનાણીથી (Kubernagar Ward Congress candidate Jagdish Mohnani) વિજેતાનું પ્રમાણપત્ર છીનવાઈ જતા તેઓ કોર્ટની શરણે ગયા હતા. ત્યારે કોર્ટે કુબેરનગર વોર્ડ માટે પુનઃ મતગણતરીના આદેશ (Court order for recount ) કર્યા હતા. ત્યારે આજે કુબેરનગર વોર્ડની મતગણતરી (Recount for Kubernagar ward) અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં (Ahmedabad LD College of Engineering) થઈ હતી.
આ પણ વાંચો-પાટિલ ભાઉ બોલે કંઈક ને ભાજપ કરે કંઈક, શું આ રીતે જીતી શકશે ભાજપ ચૂંટણી...