ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ ધરોઈ ડેમમાં પાણીનું સ્તર વધતા સાબરમતી નદીના આસપાસના ગામોને અપાયું એલર્ટ

ધરોઇ ડેમનું હાલનું લેવલ રવિવારે સાંજ સુધીમાં 80 ટકાથી વધુ છે એટલે કે 616 ફૂટથી વધુ છે. ડેમનું જળસ્તર એલર્ટ સ્ટેજ પર પહોંચ્યું હોવાથી અમદાવાદ સિંચાઇ યોજન વર્તુળ પુર નિયંત્રણ કક્ષના નાયબ કાર્યપાલક ઇજનેર તરફથી નીચાણવાળા કાંઠા વિસ્તારના તમામ ગામને એલર્ટ કરવા તેમજ યોગ્ય પગલાં લેવાની અમદાવાદ જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિ. કમિશ્નરને તાકીદ કરી છે.

By

Published : Aug 31, 2020, 1:59 AM IST

Sabarmati river
ધરોઈ ડેમમાં પાણીનું સ્તર વધતા સાબરમતી નદીના આસપાસના ગામોને અપાયું એલર્ટ

અમદાવાદઃ ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા અમદાવાદનું તંત્ર સાવધાનની મુદ્રામાં આવી ગયું છે. ઊપરવાસમાં ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાંથી વધુને વધુ પ્રમાણમાં પાણી છોડવામાં આવી શકે છે. આ પાણીનો મોટો જથ્થો વાસણા બેરેજ ભણી વાળવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જેથી નીચાણવાળા વિસ્તારમાં આવેલા ગામોને ચેતવણી આપી દેવામાં આવી છે.

ધરોઈ ડેમમાં પાણીનું સ્તર વધતા સાબરમતી નદીના આસપાસના ગામોને અપાયું એલર્ટ

પુર નિયંત્રણ વિભાગે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સાબરમતી જળાશયનું લેવલ રવિવારે સાંજે 5 વાગ્યા સુધી 80 ટકા છે. તેમજ આવક 46,611 કયુસેક છે. જે અનુસાર જો પાણીની આવક સતત જળવાય તો સાંજે 6 વાગ્યા સુધીમાં 10,000થી 15,000 કયુસેક પાણીનો પ્રવાહ ધરોઇ ડેમથી નીચેવાસમાં સાબરમતી નદીમાં છોડવામાં આવશે. જે પાણી સંત સરોવર, ગાંધીનગર ખાતેથી વાસણા બેરેજ ખાતે આવશે. જયાંથી બેરેજના દરવાજા ખોલી સાબરમતી નદીમાં વહેવડાવવામાં આવશે.

સંત સરોવર યોજનામાં પાણીનો જથ્થો 100 ટકા સપાટી છે. તેમજ 140 કયુસેક પાણીની આવક તથા જાવક છે. વાસણા બેરેજની હાલની સપાટી 129.75 ફૂટ છે. જેની પૂર્ણ સપાટી 137 ફૂટ છે. હાલમાં વાસણા બેરેજ ખાતેથી 3983 કયુસેક પાણીનો પ્રવાહ સાબરમતી નદીમાં વહેવડાવવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં વાસણા બેરેજના સ્ત્રાવક્ષેત્રમાં વરસાદને આધીન પાણીની સપાટી, ધરોઇ ખાતેથી છોડવામાં આવતાં પાણીના આધીન જથ્થો વધવાના કારણે યોજના મારફતે વધારાનું પાણી નદીમાં વહેવડાવવામાં આવે તેવી શક્યતા છે. જેથી નીચાણવાસમાં આવેલા કાંઠા વિસ્તારના તમામ ગામને એલર્ટ કરવા જાણ કરાઇ છે.

ABOUT THE AUTHOR

...view details