ગુજરાત

gujarat

ETV Bharat / city

કુમકુમ મંદિર દ્વારા ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા - અખાત્રીજ

આજે અખાત્રીજના રોજ સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરાગત અનુસાર વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવાનો પ્રારંભ થયો છે. કોરોના વાયરસના કારણે ભગવાનના શણગારનાં દર્શન સ્વામિનારાયણ કુમકુમ મંદિર યુટ્યુબ ચેનલ ઉપર કરાવવામાં આવ્યાં હતાં.

કુમકુમ મંદિર દ્વારા ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા
કુમકુમ મંદિર દ્વારા ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા

By

Published : May 14, 2021, 6:15 PM IST

● પ્રતિમા એ સ્વયં ભગવાન જ છે

● ભાવ સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ

● સ્વામિનારાયણ ભગવાનને ગરમીમાં ઠંડક કરવા ચંદનના વાઘા


અમદાવાદઃ અખાત્રીજથી ચંદનના વાઘા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધરાવવામાં આવે છે તે અંગે સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ ભગવાનના શણગાર તૈયાર કરવામાં 04 કિલો ચંદનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભગવાનને ચંદનના શણગાર ધરાવ્યા બાદ આ ચંદનની ગોટીઓ બનાવવામાં આવે છે અને તે ગોટીથી સ્વામિનારાયણ ભગવાનના સંતો - હરિભક્તો કપાળમાં તિલક કરે છે.

વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર
ઋતુ અનુસાર ભગવાનને વસ્ત્ર પહેરાવાય છેસ્વામિનારાયણ ભગવાને પોતે સ્વયં વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના 23માં વચનામૃતમાં કહ્યું છે કે, ઋતુ અનુસાર ભગવાનની સેવા ચાકરી કરવી જોઈએ. શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુ અનુસાર ભગવાનને શણગાર સજવા અને થાળ આદિ ધરાવી ભગવાનની પરિચર્યા કરવી. તે પ્રમાણે જ્યારે શિયાળો આવે છે ત્યારે ભગવાને ગરમ વસ્ત્રો ધરાવામાં આવે છે અને હીટર મૂકવામાં આવે છે. તેવી રીતે જયારે ઉનાળો આવે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત મળે અને ઠંડી પ્રાપ્ત થાય માટે ભગવાનને ઝીણાં વસ્ત્રો ધરાવવામાં આવે છે અને ભગવાનની આગળ એરકંડિશન મૂકવામાં આવે છે. પરંતુ વૈશાખ માસની અસહ્ય ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય માટે ભગવાનને ચંદનના વાઘાના શણગાર સજવામાં આવે છે.

આ પણ વાંચોઃ અમદાવાદના કુમકુમ મંદિરમાં ગુજરાતના 61માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ

વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજનું મહત્વ

વૈશાખ સુદ ત્રીજ એટલે અખાત્રીજ જેને અક્ષયતૃતીયા કહેવાય છે. તે અંગે માહિતી આપતા સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ દિવસે અક્ષત્‌ કહેતાં ચોખાથી ભગવાનનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. મહાભારતનું પણ યુદ્ધ પણ આ જ દિવસે પૂર્ણ થયું હતું. જગન્નાથપુરી અને અમદાવાદમાં રથયાત્રા જે યોજાય છે. તેના રથોના નિર્માણનું કાર્ય આ જ દિવસે પ્રારંભ થાય છે. આ દિવસ વણજોયા મૂહુર્તનો કહેવાય છે. શુભકાર્યો વગર મૂહુર્તે કરવામાં આવે છે. આ દિવસે વર્ષ દરમિયાન સૌથી વધુ લગ્નો થાય છે. આ દિવસે સોનાચાંદીની ખરીદી પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે.


આ પણ વાંચોઃ કુમકુમ મંદિરના 100 વર્ષીય મહંત આનંદપ્રિયદાસજી સ્વામીએ વેક્સિનના 2 ડોઝ પૂર્ણ કર્યા

ABOUT THE AUTHOR

...view details