ગુજરાત

gujarat

ETV Bharat / city

વર્ષ-2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક

ભારતમાં વર્ષ 2025 સુધીમાં ટીબી નાબુદ થઇ શકે તે માટે કાર્યશીલ છે. વિશ્વ જ્યારે 24મી માર્ચે વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે "ટીબી હારેગા, દેશ જીતેગા" અભિયાન હેઠળ ઉજવણી કરી હતી. રાજ્યના મહેસાણા, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ મળી કુલ 05 જિલ્લાને નેશનલ સર્ટિફિકેટ્સ અને બ્રોન્ઝ એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

By

Published : Mar 25, 2021, 10:18 PM IST

ગુજરાતના 05 જીલ્લાઓને નેશનલ સર્ટિફિકેટ અને બ્રોન્ઝ મેડલ એનાયત
ગુજરાતના 05 જીલ્લાઓને નેશનલ સર્ટિફિકેટ અને બ્રોન્ઝ મેડલ એનાયત

  • 24મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય ટીબી દિવસ
  • ગુજરાતના 05 જીલ્લાઓને નેશનલ સર્ટિફિકેટ અને બ્રોન્ઝ મેડલ એનાયત
  • વર્ષ 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક

અમદાવાદ: છેલ્લાં ઘણા વર્ષોથી ગુજરાત સરકાર ટીબી અવેરનેશ અને તેની નાબુદી પાછળ કામગીરી કરી રહી છે. જેમાં નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, ટીબી મુક્ત ભારતના અભિયાનને સાર્થક બનાવવાની દિશામાં ગૂજરાતે ઉત્કૃષ્ઠ કામગીરી કરતા 05 જિલ્લાની પસંદગી કરી સન્માનિત કરવામાં આવ્યા છે. વધુમાં વર્ષ 2022માં ગુજરાત 'ટીબી મુક્ત' બની 'ટીબી હારેગા, દેશ જીતેગા' અભિયાનમાં અગ્રણી રાજ્ય બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો:સુરત આરોગ્ય વિભાગે વિશ્વ ટીબી દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ પ્રસરાવી

રાજ્યમાં 'માસ્ક સેલ્ફી'નો પણ કાર્યક્રમ યોજાયો

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાંથી વર્ષ 2025 સુધી ટીબી જેવા રોગની નાબૂદી માટેનો લક્ષ્યાંક સેવ્યો છે. જેને ધ્યાનમાં રાખી 'ટીબી હારેગા, દેશ જીતેગા' અભિયાન ચલાવવામાં આવ્યું છે. તેમજ ટીબીની સાથોસાથ કોરોના અંગે પણ લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે રાજ્યમાં 'માસ્ક સેલ્ફી' નો પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો:સુબિર તાલુકાને ક્ષય મુક્ત બનાવવા કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details