EDએ શરદ પવારને પાઠવેલા સમન્સ બદલ અમદાવાદ NCPએ કર્યો વિરોધ - Latest news of ED
અમદાવાદ: NCP નેતા શરદ પવાર સામે ફરિયાદ કરવામાં આવી છે કે, 2007થી 2011 વચ્ચે બેન્કોને અંદાજે 1 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયેલુ છે. નુકસાન બદલ શરદ પવાર અને બેંકના અલગ અલગ જિલ્લાઓની શાખાઓના વરિષ્ઠ અધિકારીઓના નામ પણ સામેલ છે. આ મામલે EDએ શરદ પવારને સમન્સ પાઠવ્યું છે. જે મામલે અમદાવાદના NCPના કાર્યકરોએ વિરોધ કર્યો છે.
![EDએ શરદ પવારને પાઠવેલા સમન્સ બદલ અમદાવાદ NCPએ કર્યો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4571231-310-4571231-1569581294447.jpg)
NCP
EDએ પાઠવેલા સમન્સના વિરોધમાં અમદાવાદના NCP ઓફિસની બહાર કાર્યકરોએ ધરણા પ્રદર્શન કર્યા હતા અને સરકાર પર આક્ષેપ કર્યા છે કે, સરકાર EDનો ખોટી રીતે ઉપયોગ કરે છે અને ED દ્વારા વિરોધ પક્ષના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. આ મામલે શરદ પવાર સામેથી EDની ઓફિસમાં જવાબ લખાવવા જશે. સરકાર તરફથી આ રીતનું જ વલણ રહ્યું તો આગામી દિવસોમાં NCP દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
EDએ શરદ પવારને પાઠવેલા સમન્સ બદલ અમદાવાદ NCPએ કર્યો વિરોધ