અમદાવાદ ઃ શહેરના વિરાટનગરમાં પરિવારના જ 4 વ્યક્તિઓની ઘાતકી હત્યા (Murder in Divyaprabha Society of Viratnagar )મામલે ક્રાઇમબ્રાંચની ટીમે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. વિનોદ મરાઠી નામના શખ્સનો શોધખોળ(Suspected accused Vinod Marathi ) હાથ ધરવામાં આવી છે. પોલીસે વિનોદ મરાઠી પર જ શંકા (Vinod Marathi under suspicion in family murder case in viratnagar )વ્યક્ત કરી છે. વિનોદ મરાઠી ટેમ્પો ચાલક હતો. હત્યા પાછળ આર્થિક સંકડામણ, ઘરકંકાસ કારણભૂત હોવાનું અનુમાન છે.આપને જણાવીએ કે ગઇકાલે ઓઢવના વિરાટનગર વિસ્તારના દિવ્યપ્રભા મકાન નંબર 30માં વૃદ્ધા, મહિલા, દીકરી અને દીકરાની ઘાતકી હત્યાનો મામલો (Ahmedabad Family Murder case Update)બહાર આવ્યો હતો.
કુલ 7 ટીમ તપાસમાં જોતરાઈ- મહત્વનું છે કે FSL અને ડૉગ સ્કવોડ સહિત ક્રાઇમબ્રાંચ સહિત કુલ 7 ટીમ તપાસમાં ઘટના સ્થળે તપાસ આદરી દીધી છે.. સોનલ, પ્રગતિ, ગણેશ અને સુભદ્રાબેન આ ચારેય લોકોની હત્યા (Ahmedabad Family Murder case Update )કરીને ઘરનો મોભી બહારથી તાળુ મારીને ફરાર થઇ ગયો હતો. વિનોદ મરાઠી નામનો શખ્સ ઘરથી બહાર લોક મારીને ફરાર થઇ જતા તેની પર શંકા ઉપજી છે. જમાઇ અને સાસુ વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ કારણ (Ahmedabad Crime news)જાણવા મળ્યુ છે. અગાઉ પણ આરોપી દ્વારા છરી વડે હુમલો કર્યો હતો પરંતુ પારિવારિક ઝઘડાને કારણે પોલીસ ફરિયાદ થઇ ન હતી. વિનોદ મરાઠી મહારાષ્ટ્ર કે સુરત ફરાર થયો હોવાની શક્યતાને પગલે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને આ અંગે જાણ કરતા હત્યાનો પર્દાફાશ થયો હતો. હવે આ તપાસમાં અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચની ટીમ પણ (Police Invstigation in Murder Case) જોડાઈ છે.
આ પણ વાંચોઃ Crime in Vadodara: 19 વર્ષની યુવતીની તેના જ પ્રેમીએ કરી હત્યા
ક્રાઇમ બ્રાંચ સહિત કુલ 7 ટીમ તપાસમાં જોતરાઇ -પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સાંજે 7થી9 વાગે હત્યાની અંજામ આપ્યો હોઇ શકે છે. ઘટનાના દિવસે ઘરે સોનલે માતા અને દાદીને જમવા બોલાવ્યાં હતાં. દાદી પહેલા આવી ગયા બાદમાં સોનલની માતા આવ્યાં હતાં. આ દરમિયાન બોલાચાલી થતા સાસુ પર વિનોદે હુમલો કર્યો હતો. વિનોદની સાસુ પડી જતાં ઇજા થઇ હોવાનું અનુમાન છે. હુમલા બાદ ફરાર વિનોદે વતનમાં પરિવારનો સંપર્ક કર્યો હતો. વિનોદે થોડા દિવસ પહેલા જ મકાન વેચ્યું હોવાનું આવ્યું છે. મહત્વનું છે કે 15 દિવસથી પરિવાર નિકોલથી ઓઢવમાં આવ્યો હતો. જેથી શંકા (Suspected accused Vinod Marathi )એ પણ છે કે અગાઉથી જ હત્યાનું ષડયંત્ર ગોઠવવામાં આવ્યું હોઇ શકે.