ગુજરાત

gujarat

અમદાવાદઃ સનાથલ ચોકડી ખાતે 65 વાહનોના 730 પ્રવાસીઓનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું

By

Published : Jul 29, 2020, 2:00 AM IST

રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોનાનું વધુને વધુ ટેસ્ટિંગ થાય તેના પર રાજ્ય સરકારે ભાર મૂક્યો છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

Corona testing
અમદાવાદઃ સનાથલ ચોકડી ખાતે 65 વાહનોના 730 પ્રવાસીઓનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું

અમદાવાદઃ જિલ્લામાં પ્રવેશવાના માર્ગો પર હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરી કોરોનાનુ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાંથી અમદાવાદમાં પ્રવેશવા માટેનો મુખ્ય માર્ગ સનાથલ ચાર રસ્તા છે, જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 14 દિવસથી સનાથલ ચોકડી ખાતે હેલ્થ ચેકપોસ્ટ પર કોરોનાનું ટેસ્ટિંગ કરવા માટે હેલ્થ ચેક પોસ્ટ ઊભી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ આવતી એસ.ટી. બસોમાં તેમજ ખાનગી વાહનોમાં આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આ હેલ્થ ચેકપોસ્ટ પર મંગળવારે 38 એસ.ટી. બસ, 9 ખાનગી બસ અને 18 ખાનગી કાર સહિત કુલ 65 વાહનોના પ્રવાસીઓનું ટેસ્ટીંગ કરીને કુલ 730 લોકોનું કોરોના ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 9 લોકોનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.

સનાથલ ચોકડી ખાતે ઉભા કરાયેલા હેલ્થ ચેકપોસ્ટ ખાતે કોર્પોરેશનની સાત ટીમ દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા પણ જરૂરી વ્યવસ્થા જળવાઇ રહે તેમજ વાહનમાં સવાર પ્રવાસીઓના ટેસ્ટિંગ કરવામાં આવે તે માટેનો જરૂરી સહકાર આપવામાં આવી રહ્યો છે. રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ દ્વારા અહીંયા કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગમાં કોરોનાના શંકાસ્પદ જણાતા પ્રવાસીને જે-તે જિલ્લાની કોવિડ કેર હોસ્પિટલ અને અમદાવાદની સમરસ હોસ્ટેલમાં રીફર કરવામાં આવે છે, ત્યાં કોરોનાની વધુ સઘન સારવાર આ પ્રવાસીઓને આપવામાં આવે છે.

શહેરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે ધન્વંતરી રથ, ઘરે- ઘર સર્વેલન્સ સાથે હવે શહેરમાં બહારગામથી આવતા પ્રવાસીઓનું કોરોના ટેસ્ટિંગ થાય તે માટે આ હેલ્થ ચેક પોસ્ટ ઉપયોગી સાબિત થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details