ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ પોલીસ ગણેશ વિસર્જનને લઈને તૈયાર, ફાયર અને તરવૈયાઓની ટીમો તહેનાત રહેશે - ફાયર અને તરવૈયાઓની ટીમો તહેનાત

આવતીકાલે બે વર્ષ બાદ ધામધૂમ સાથે ગણેશ વિસર્જન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ જિલ્લા પોલીસ ગણેશ વિસર્જનને લઈને તૈયાર છે. કોઈપણ અનિચ્છનીય ઘટના વગર ઉત્સાહ સાથે વિસર્જન કાર્ય પૂર્ણ થાય તેના પર વિશેષ આયોજન કરાયું છે. Ahmedabad city police deployment , Ganesh idol immersion in Ahmedabad , Fire and swimmers Teams deployed

અમદાવાદ પોલીસ ગણેશ વિસર્જનને લઈને તૈયાર, ફાયર અને તરવૈયાઓની ટીમો તહેનાત રહેશે
અમદાવાદ પોલીસ ગણેશ વિસર્જનને લઈને તૈયાર, ફાયર અને તરવૈયાઓની ટીમો તહેનાત રહેશે

By

Published : Sep 8, 2022, 8:32 PM IST

અમદાવાદ રંગેચંગે 10 દિવસ સુધી ગણપતિ આરાધનાની ઉજવણી પૂર્ણ થવા જઇ રહી છે. 9મી સપ્ટેમ્બરે અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિઓનું જળવિસર્જન કરવાની વેળા આવી ગઇ છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ગણેશ વિસર્જનનો ( Ganesh idol immersion in Ahmedabad ) અવસર શાંતિપૂર્ણ માહોલમાં સુચારુપણે સંપન્ન થાય તે માટે વ્યવસ્થા ( Ahmedabad city police deployment ) ગોઠવવામાં આવી છે.

અનિચ્છનીય ઘટના વગર ઉત્સાહ સાથે વિસર્જન કાર્ય પૂર્ણ થાય તેના પર વિશેષ આયોજન

RAF ની ટીમ પણ બંદોબસ્તમાં ગોઠવાશે અમદાવાદમાં ગણેશ વિસર્જનમાં ( Ganesh idol immersion in Ahmedabad )અમદાવાદ પોલીસનો ખાસ RAF ની ટીમ પણ બંદોબસ્તમાં ગોઠવાશે. જેમાં RAF ની ટીમ પણ બંદોબસ્તમાં ( Ahmedabad city police deployment) ગોઠવાશે. જ્યારે આ વર્ષે 46 શોભાયાત્રાની પરમિશન આપવામાં આવી છે. શહેરમાં ટ્રાફિકનો પ્રશ્ન ઉભો ન થાય એટલે જાહેર પંડાલો સાથે પોલીસકર્મીનો બંદોબસ્ત હાજર રહેશે.અસામાજિક તત્વો દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ફાયર બ્રિગેડ અને તરવૈયાની ટીમો તહેનાત ( Fire and swimmers Teams deployed ) રાખવામાં આવશે.

આ છે પ્લાનિંગપોલીસ ફોર્સની વાત કરવામાં આવે તો 15 DCP, 20ACP, 65 PI ,170 PSI , HC/PC 4200 પોલીસકર્મીનો બંદોબસ્ત ( City police tightens security ) રાખવામાં આવશે. એડિશનલ ફોર્સ તરીકે 11 SRP કંપની સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ફાળવવામાં આવશે. હોમગાર્ડના 3450 જવાનો પણ ગણેશ વિસર્જન ( Ganesh idol immersion in Ahmedabad ) બંદોબસ્તમાં તહેનાત રખાશે.

ગણેશ વિસર્જન માટેના કુંડશહેરમાં અલગ અલગ જગ્યાએ કૃત્રિમ વિસર્જન કુંડ પણ બનાવ્યા છે ત્યાં જ વિસર્જન ( Ganesh idol immersion in Ahmedabad ) કરી શકાશે. ત્યારે AMC દ્વારા 57 કૃત્રિમ વિસર્જન કુંડ બનાવમાં આવ્યા છે અને સંવેદનશીલ વિસ્તારમાં ખાસ નજર ( Ahmedabad city police deployment )રાખવામાં આવશે. ત્યારે પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details