ગુજરાત

gujarat

ETV Bharat / city

Advocate Association in Gujarat High Court: વકીલોને GST નોટિસ બાબતે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો - Collection of service tax

ગુજરાત હાઇકોર્ટે GST વિભાગ તરફથી વકીલો પાસે સર્વિસ ટેક્સની પરની માંગ સંદર્ભે મનાઈ હુકમ ફરમાવ્યો છે. J B પારડી વાલા અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠ સક્ષમ હાથ ધરાયેલી સુનાવણીમાં સેન્ટ્રલ જીએસટી વિભાગ, સ્ટેટ GST વિભાગ કે ફાઇનાન્સ એક્ટ હેઠળ લેવાતા સર્વિસ ટેક્સની વસૂલાત પર હાઈકોર્ટે રોક લગાતો વચગાળાનો હુકમ કર્યો છે.

Advocate Association in Gujarat High Court: વકીલોને GST નોટિસ બાબતે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો
Advocate Association in Gujarat High Court: વકીલોને GST નોટિસ બાબતે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો

By

Published : Mar 8, 2022, 6:14 AM IST

અમદાવાદ:હાઇકોર્ટમાં વકીલાત (Gujarat Highcourt)કરતાં કેટલાક વકીલોને GST વિભાગ તરફથી નોટિસ પાઠવવામાં આવી હતી. જેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ એસોસિએશન (Advocate Association in Gujarat High Court)તરફથી પડકારવામાં આવી હતી .જે મામલે હાઈકોર્ટે વચગાળાની રાહત આપતા મહત્વનો હુકમ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે GST વિભાગ તરફથી વકીલો પાસે સર્વિસ ટેક્સની પરની માંગ સંદર્ભે મનાઈ હુકમ ફરમાવ્યો છે

ગુજરાત હાઇકોર્ટે GST વિભાગ (Gujarat High Court GST Department)તરફથી વકીલો પાસે સર્વિસ ટેક્સની પરની માંગ સંદર્ભે મનાઈ હુકમ ફરમાવ્યો છે. J B પારડી વાલા અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠ સક્ષમ હાથ ધરાયેલી સુનાવણીમાં સેન્ટ્રલ GST વિભાગ(Central GST Department), સ્ટેટ GST. વિભાગ કે ફાઇનાન્સ એક્ટ હેઠળ લેવાતા સર્વિસ ટેક્સની વસૂલાત (Collection of service tax)પર હાઈકોર્ટે રોક લગાતો વચગાળાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો:પોર્ટલમાં ખામી હોય તો ઓથોરિટી હાથ ઊંચા કરી ન શકે: HCની GST વિભાગને ટકોર

આ હુકમ એ માત્ર ગુજરાત હાઇકોર્ટ પૂરતો નહિ પરંતુ રાજ્યની તમામ કોર્ટમાં વકીલાત કરતા વકીલો માટે રાહતનો બની રહેશે.

આ બાબતે હાઇકોર્ટના સેક્રેટરી વકીલ હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ કે નિયમ પ્રમાણે વકીલાત કરતા વકીલોને જીએસટી લાગૂ પડતો નથી. તેમ છતાં GST વિભાગે વકીલોને GST ભરવા માટેની નોટીસ ફટકારી હતી જે યોગ્ય નથી.

જ્યારે વકીલ કોઈ વ્યક્તિગત બાબતને વકીલ વ્યક્તિનો કેસ લડતો હોય તો, જીએસટી લાગવાનો કે GST લેવાનો કોઇ સવાલ કાયદામાં આવતો નથી. વકીલ ઉચિત સેઠે જણાવ્યું કે, હાઈકોર્ટે અત્યારે આ મેટર પર વચગાલાનો સ્ટનો હુકમ ફરમાવ્યો છે.અને કિલો સામે આવી કોઇપણ પ્રકારની કાર્યવાહી ના કરવી એવી પિટિશન પણ દાખલ કરવામાં આવી છે એવો હાઈકોર્ટે અત્યારે હુકમ કર્યો છે. અરજદારના વકીલ માસુમ શાહે જણાવ્યું કે,અમે કોર્ટનું ધ્યાન દોરાયું હતું અને એ બાબતે હાઇકોર્ટે આજે તમામ સુનાવણી સાંભળીને નિયમ પ્રમાણે વકીલાત કરતા વકીલોને આવી નોટિસ ફટકારવામાં આવતી નથી.

આ પણ વાંચો:Union Budget 2022: 85 ટકા મહિલાને રોજગારી આપતા મોરબીના ઘડિયાળ ઉદ્યોગને કેન્દ્રિય બજેટમાંથી શું આશા છે?

શું હતો સમગ્ર મામલો?

હાઇકોર્ટમાં વકીલાતની પ્રેકટીસ કરતા લગભગ ૨૦ જેટલા વકીલોને GST વિભાગ તરફથી રિકવરીની નોટિસ ફટકારવામાં આવી હતી જેને લઈને બાર એસોસિએશન તરફથી ગુજરાત હાઇકોર્ટમાં આ મેટરને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. વકીલોના તો કોઈ જીએસટી નંબર પણ હોતા નથી તો શા માટે અને કઈ રીતે GST વિભાગ નો દાવો કરી શકે. જોકે કોઇ કંપની કે મોટી એજન્સીના કેસની વાત આવે છે, ત્યારે તેમાં GST લાગૂ પડે છે, પરંતુ તે સીધી રીતે એડવોકેટ પર લાગુ પડે નહિ. તેથી આ બાબતને લઇને સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details