અમદાવાદઃ ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક મામલે (GSSSB Paper leak protest 2021) ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, નિખિલ સવાણી સહિતના નેતાઓ-કાર્યકર્તાઓની ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા 11 દિવસથી જેલમાં રહેલા ‘AAP’ના નેતાઓ અને કાર્યકર્તાઓના જામીન ગાંધીનગર સેશન કોર્ટે મંજૂર કરતાં આજે સવારે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના તમામ 55 નેતાઓ સાબરમતી જેલમાંથી બહાર (AAP Leaders Out of Sabarmati Jail) આવ્યાં છે. જેલના દરવાજે તેમના પરિવારજનો આતુરતાથી બહાર આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.
જેલમાં પણ ચર્ચાઓ કરતાં હતાં
આપના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, જેલમાં આવ્યા (AAP Leaders Out of Sabarmati Jail)એનો અમને આનંદ છે. જેલમાં રહીને પણ નવયુવાનો માટે લડતા હતા. આખો દિવસ આ મામલે પણ ચર્ચાઓ કરતા હતા. ભાજપે શરમ કરવાની જરૂર છે કે રાજનીતિમાટે બહેન દીકરીઓનો ઉપયોગ કર્યો. ગાંધીજીએ પણ સાબરમતી જેલમાં આવીને દેશમાં આંદોલન કર્યા હતાં. ગાંધીજીની આત્મકથા અમે જેલમાં રહીને વાંચી છે. ભાજપ સરકારને હું કહેવા માગું છું. પેપર કાંડમાં (GSSSB Paper leak protest 2021) હજી સુધી મુખ્ય આરોપીઓ ફરાર છે અને હોદ્દેદારોએ રાજીનામાં આપ્યાં નથી. ગુજરાતના નવયુવાનોના માતાપિતાને વચન આપીએ છીએ કે અમે નવયુવાનો માટે જેલમાં ગયા છીએ. તમે અમને સાથ આપજો અને કોઈ વાતમાં ભરમાશો નહી.
અસિત વોરાએ રાજીનામુ આપવું જોઈએ
જ્યારે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપના ભ્રષ્ટાચાર કરવાવાળા મહેલમાં છે અને લડવાવાળા જેલમાં છે. આ લડાઈ ચાલુ જ રહેશે. ભાજપના મિત્રોને હું કહેવા માગું છું કે અમે જેલથી ડરવાવાળા નથી. જો અમને આવી રીતે 25 દિવસ પણ જેલમાં નાખશો તો અમે ડરીશું નહીં. ભાજપના અસિત વોરાનું (GSSSB Paper leak protest 2021) રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી અમે લડતાં રહીશું અને આ જ રીતે ગુપ્ત આયોજન કરી અને લડાઈને ચાલુ રાખીશું. અમારું આંદોલન હજુ ચાલુ જ રહેશે.