ગુજરાત

gujarat

ETV Bharat / city

શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીએ પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી - corona patient suicide

એક તરફ તાજેતરમાં કોરોનાનો કહેર એટલી હદે વધતો ગયો છે કે તેની અસર હવે વ્યક્તિઓના મગજ પર થવા લાગી છે. અમદાવાદના શારદાબેન હોસ્પિટલમાં 65 વર્ષીય વૃદ્ધે શનિવારે કોરોનાની ચાલુ સારવાર દરમિયાન જ હોસ્પિટલમાંથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Apr 17, 2021, 6:05 PM IST

  • શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીએ મોતની છલાંગ લગાવી
  • પાંચમા માળેથી કૂદીને આપઘાત કર્યો
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

અમદાવાદ: વૃદ્ધ છેલ્લા ત્રણેક દિવસથી શારદાબેન હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ હોવાથી સારવાર હેઠળ હતા અને હોસ્પિટલનો માહોલ જોઈને તેમને મનમાં લાગી આવ્યું હતું. એટલું જ નહીં બે દિવસ અગાઉ એક કોરોના દર્દીનું મોત થતાં પોતે પણ તણાવમાં આવી ગયા હતા. મૃતક રસિકભાઈ ઠાકોર ઘોડાસરના રહેવાસી હતા અને થોડા દિવસ અગાઉ સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા હતા ત્યારે ત્યાં હાજર હોસ્પિટલના સ્ટાફની નજર ચૂકવીને વૃદ્ધે આત્મહત્યા કરી હતી. ત્યારે બીજી તરફ એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, જિંદગીથી કંટાળીને આત્મહત્યા કરી છે. ત્યારે આગામી સમયમાં પોલીસ દ્વારા તપાસ કરતા સત્ય સામે આવશે.

હિતેશ ધાંધલીયા

આ પણ વાંચો:ડાંગમાં કોરોનાં પોઝિટિવ દર્દીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા

મૃતકના પરિવારે વ્યથા વ્યક્ત કરી

આ દરમિયાન રસિક ઠાકોરના કેટલાક સીમટમ્સ કોરોનાને લગતા દેખાતા વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જોકે પોલીસે ઘટનાસ્થળે પહોંચી બનાવ અંગેની જાણ મૃતકના પરિવારજનોને કરી હાલ અકસ્માતે મોત નદી વધુ તપાસ શરૂ કરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે મૃતકના પરિવારજનોને પૂછતા પરિવારજનોએ પણ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે, હોસ્પિટલમાં યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો આવી ઘટનાઓ વારંવાર સામે આવતી અટકશે.

ABOUT THE AUTHOR

...view details