અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આ સાથે જ ત્રણ દિવસ પછી ભારતીય શેરબજાર (Share Market India) મજબૂતી સાથે બંધ થતા રોકાણકારોમાં ખુશી જોવા મળી હતી. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 427.79 પોઈન્ટ (0.78 ટકા)ના ઉછાળા સાથે 55,320.28ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 121.85 પોઈન્ટ (0.74 ટકા)ની મજબૂતી સાથે 16,478.10ના સ્તર પર બંધ થયો છે.
સરકારી કંપનીઓ અંગે કેન્દ્રિય નાણા પ્રધાને શું કહ્યું - સરકારી કંપનીઓ અંગે કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (Union Finance Minister Nirmala Sitharaman) નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પબ્લિક સેક્ટર યુનિટ્સે (PSUs) સારી કાર્યક્ષમતા પર ધ્યાન રાખવું પડશે. તેમની કામ કરવાની રીત સરળ અને યોગ્ય છે. સાથે જ PSUsને ડિજિટલાઈઝેશનનો ઉપયોગ વધારવો પડશે. તેનાથી તેમની કાર્યક્ષમતા વધશે.
આ પણ વાંચો-EMIનો બોજ ઘટાડવા માંગો છો, તો આ રીત અપનાવો