ગુજરાત

gujarat

ETV Bharat / business

Nirmala Sitharaman : ગત નાણાકીય વર્ષમાં 7.4 કરોડ લોકોએ આવકવેરા રિટર્ન ફાઈલ કર્યાઃ સીતારમણ - NIRMALA SITHARAMAN

કેન્દ્રમાં મોદી સરકારના કારણે ટેક્સ ભરનાર લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, વર્ષ 2022-23માં પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યામાં 6.18 ટકાનો વધારો થયો છે.

Etv BharatNirmala Sitharaman
Etv BharatNirmala Sitharaman

By

Published : Jul 25, 2023, 10:14 AM IST

નવી દિલ્હી:કેન્દ્રમાં મોદી સરકારના કારણે ટેક્સ ભરનાર લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે.કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23માં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા 6.18 ટકા વધીને 7.40 કરોડ થઈ છે અને તેમાંથી લગભગ 5.16 કરોડ લોકોએ કહ્યું કે, તેમની પાસે કોઈ કર જવાબદારી નથી. તેમણે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. સીતારમણે વધુમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23માં ભારતનું કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 20.33 ટકા વધીને રૂપિયા 19.68 લાખ કરોડ થયું છે.

લોન વસૂલાત સંવેદનશીલતા દાખવવી:લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે, 'મેં એવી ફરિયાદો સાંભળી છે કે, કેવી રીતે કેટલીક બેંકો લોનની વસૂલાત માટે કડક પગલાં લે છે. સરકારે જાહેર અને ખાનગી તમામ બેંકોને સૂચના આપી છે કે જ્યારે લોનની વસૂલાતની પ્રક્રિયાની વાત આવે ત્યારે કઠોર પગલાં લેવામાં ન આવે અને બેંકોએ આવી બાબતોમાં માનવીય રીતે સંવેદનશીલતા રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.

CBDTને કારણે આવક વધી રહી છે: 164મા ઈન્કમ ટેક્સ ડે કાર્યક્રમ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, 'છેલ્લા ત્રણ, ચાર વર્ષમાં ક્રેડિટ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ને જાય છે, ટેક્સના દરમાં વધારો થયો નથી, પરંતુ આવક સતત વધી રહી છે. કરચોરીને અંકુશમાં લાવવામાં આવી રહી છે..વડાપ્રધાન ઉત્સુકતાપૂર્વક માહિતગાર છે કે પ્રૌદ્યોગિક એ ઘણી સમસ્યાઓનો જવાબ છે જેનો આપણે સામનો કરીએ છીએ...'

આ પણ વાંચો:

  1. Employees Provident Fund: PF પર મળશે હવે 8.15 ટકા વ્યાજ, 6 કરોડ લોકોને ફાયદો, ઓગસ્ટથી ખાતામાં જમા થશે
  2. Government Yojana: આ યોજનામાં મહિલાઓને 6000 રુપિયા મળશે, યોજનાનો લાભ લેવા માટે આ રીતે અરજી કરો
  3. Insurance Claim For Flood: પૂરથી થયેલું નુકસાન, આ રીતે વસૂલાત માટે વીમાનો દાવો કરો

ABOUT THE AUTHOR

...view details