ગુજરાત

gujarat

NITI Aayog information : મોદી સરકારની ઉપલબધ્ધિ, 13.5 કરોડથી વધુ લોકો ગરીબમાંથી અમીર બન્યા

By

Published : Jul 18, 2023, 11:10 AM IST

નીતિ આયોગના આંકડા મુજબ, મોદી સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા 2 નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં આ માહિતી સામે આવી છે કે, મોદી સરકારના કાર્યકાળમાં 13.5 કરોડથી વધુ લોકો ગરીબમાંથી અમીર બન્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તમામ 12 સૂચકાંકોમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેના કારણે ગરીબીમાં ઘટાડો થયો છે.

Etv BharatNITI Aayog information
Etv BharatNITI Aayog information

નવી દિલ્હી:નીતિ આયોગે 2015-16માં આયોજિત NFHS-4 અને 2019-21માં આયોજિત NFHS-5ની સરખામણીના આધારે સોમવારે જાહેર કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2015-16થી 2019-21 સુધીમાં મોદી સરકારના કાર્યકાળ દરમિયાન હાથ ધરવામાં આવેલા 2 નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS)ના પાંચ વર્ષના અંતરાલમાં 13.5 કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે અને 14.96 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સંખ્યા ઘટી: નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી દ્વારા બહાર પાડવામાં આવેલા "નેશનલ મલ્ટીડાઈમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સઃ અ પ્રોગ્રેસ રિવ્યુ 2023" શીર્ષક હેઠળના રિપોર્ટના તારણો અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં ગરીબોની સંખ્યા 32.59 ટકાથી ઘટીને 19.28 ટકા થઈ ગઈ છે.

આ રાજ્યમાં ગરીબોની સંખ્યા ઘટી:રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગરીબોની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશમાં 3.43 કરોડ સાથે નોંધાયો હતો, ત્યારબાદ બિહાર, મધ્યપ્રદેશ, ઓડિશા અને રાજસ્થાનનો નંબર આવે છે. તે જણાવે છે કે પોષણ, શાળાના વર્ષો, સ્વચ્છતા અને રસોઈના બળતણમાં સુધારાએ ગરીબી ઘટાડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

ભારત 2030ની સમયમર્યાદા પહેલા:અહેવાલ જણાવે છે કે, ભારત 2030ની સમયમર્યાદા પહેલા SDG લક્ષ્યાંક 1.2 હાંસલ કરવાના માર્ગ પર છે. રિપોર્ટમાં નવેમ્બર 2021માં શરૂ કરાયેલ ભારતના રાષ્ટ્રીય બહુપરીમાણીય ગરીબી સૂચકાંક (MPI)ને અપડેટ કરવામાં આવ્યો છે.

MPI વિશે જાણો:રાષ્ટ્રીય MPI એકસાથે આરોગ્ય, શિક્ષણ અને જીવનધોરણના ત્રણ સમાન મહત્વના પરિમાણોમાં વંચિતતાને માપે છે, જે 12 SDG-સંરેખિત સૂચકાંકો દ્વારા રજૂ થાય છે. આમાં પોષણ, બાળ અને કિશોર મૃત્યુદર, માતાનું સ્વાસ્થ્ય, શાળામાં ભણવાના વર્ષો, શાળામાં હાજરી, રસોઈનું બળતણ, સ્વચ્છતા, પીવાનું પાણી, વીજળી, આવાસ, સંપત્તિ અને બેંક ખાતાઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

  1. INCOME TAX News : નવી કર વ્યવસ્થામાં 7.27 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર આવકવેરો ભરવાની જરૂર નથીઃ સીતારમણ
  2. Home Loan: શું તમે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો? તો આ મુદ્દાઓ ચોક્કસથી ધ્યાનમાં રાખશો

ABOUT THE AUTHOR

...view details