નવી દિલ્હીઃ નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે સ્થાનિક શેરબજારો વધુ કે ઓછા સ્થિર બંધ રહ્યા હતા. અસ્થિર ટ્રેડિંગમાં, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 22.71 પોઈન્ટ અથવા 0.04 ટકાના વધારા સાથે 59,655.06 પોઈન્ટ પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ઉંચામાં 59,781.36 પોઈન્ટ અને તળિયે 59,412.81 પોઈન્ટ્સ પર ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) સ્ટાન્ડર્ડ ઈન્ડેક્સ નિફ્ટી 0.40 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 17,624.05 પોઈન્ટ પર બંધ થયો હતો.
સસ્તુ થયું સોનુંઃઅક્ષય તૃતિયાના દિવસ પહેલા જ સોનું સસ્તું થયું હતું. ગુરૂવારની રાત્રે સોનાની સાથે ચાંદીમાં પણ ભાવનો ઘટાડો જોવા મળ્યો હતો. સોનાનો નવો ભાવ રૂપિયા 60,000 અને ચાંદીનો નવો ભાવ 74000 રૂપિયા નક્કી થયો હતો. 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 60446 સામે આવ્યો છે. અક્ષય તૃતિયાના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ જેવા દેશના મહાનગરમાં સોનાના ભાવમાં ખાસ કોઈ મોટો તફાવત જોવા મળ્યો નથી. ચેન્નઈમાં સોનાનો ભાવ 52,285 રૂપિયા નોંધાયો હતો. જ્યારે બાકીના મહાનગરમાં 61,000 રૂપિયા રહ્યો છે. જોકે, તમામ મહાનગરમાં શૉ રૂમ ડીલર્સ પણ પોતાના તરફથી કેટલુંક ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.