ગુજરાત

gujarat

ETV Bharat / business

યુનિવર્સલ ચાર્જર મોડલ પર મંતવ્યો મેળવવા માટે કેન્દ્ર સરકાર બનાવશે પેનલ - ઇલેક્ટ્રોનિક ઉપકરણો

એવી માહિતી મળી છે કે, કેન્દ્ર સરકાર મોબાઈલ ફોન, લેપટોપ, ઈલેક્ટ્રીક ઘડિયાળો જેવા તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે યુનિવર્સલ ચાર્જર મોડલ અપનાવવાની શક્યતા જોઈ રહી છે અને આ દરખાસ્ત પર મંતવ્યો માંગતી પેનલની સ્થાપના કરશે. Central government, universal charger model

યુનિવર્સલ ચાર્જર મોડલ પર મંતવ્યો મેળવવા માટે કેન્દ્ર સરકાર બનાવશે પેનલ
યુનિવર્સલ ચાર્જર મોડલ પર મંતવ્યો મેળવવા માટે કેન્દ્ર સરકાર બનાવશે પેનલ

By

Published : Aug 18, 2022, 3:56 PM IST

નવી દિલ્હી એક માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર (Central government) મોબાઈલ ફોન, લેપટોપ, ઈલેક્ટ્રીક ઘડિયાળો જેવા તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો (electronic devices) માટે યુનિવર્સલ ચાર્જર મોડલ અપનાવવાની શક્યતા જોઈ રહી છે અને આ પ્રસ્તાવ પર મંતવ્યો મેળવવા માટે એક પેનલની સ્થાપના કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્દ્ર ત્રણ નિષ્ણાત જૂથોની સ્થાપના કરશે જે દરખાસ્ત પર તમામ હિતધારકોના મંતવ્યો લીધા પછી તેમનો અહેવાલ સુપરત કરશે.

આ પણ વાંચોSBIના ચેરમેને કહ્યું સપ્ટેમ્બરના અંત સુધી સ્થિતિ થશે વધુ સારી

બેઠક બાદ લીધો નિણર્ય તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જૂથોને ઓગસ્ટમાં જ સૂચિત કરવામાં આવશે અને તેઓ એક-બે મહિનામાં તેમનો રિપોર્ટ સબમિટ કરશે. યુનિવર્સલ ચાર્જર મોડલ અપનાવવા અંગે તેમના મંતવ્યો જાણવા માટે ગ્રાહક બાબતોના વિભાગે (Department of Consumer Affairs) બુધવારે મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉત્પાદકોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા ગ્રાહક બાબતોના વિભાગના સચિવ રોહિત કુમાર સિંહે કરી હતી. FICCI, CII અને ASSOCHAM જેવી ઉદ્યોગ સંસ્થાઓ તેમજ ઈલેક્ટ્રોનિક ઉત્પાદનો ઉત્પાદક સંસ્થાઓના પ્રતિનિધિઓ બેઠકમાં હાજર હતા.

આ પણ વાંચો2029 સુધીમાં ભારત 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની શકે છે

યુનિવર્સલ ચાર્જર અપનાવવું આ ખ્યાલને આગળ વધારવા પાછળનો વિચાર ભારતમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) પ્રતિબદ્ધતામાંથી ઉભરી આવ્યો હતો, જેની જાહેરાત તેમણે ગયા વર્ષે ગ્લાસગોમાં યોજાયેલી ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સમાં (Climate Change Conference) કરી હતી. ઉપરાંત, સરકારે ચિંતા વ્યક્ત કરી છે કે, તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે અલગ-અલગ ચાર્જરના વધુ પડતા ઉપયોગને કારણે ઈ-વપરાશમાં ચિંતાજનક વધારો થયો છે, જે વધુ ઉત્સર્જન સ્તર તરફ દોરી જાય છે. આ ચિંતાએ સરકારને તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે યુનિવર્સલ ચાર્જર અપનાવવા વિશે વિચારવા મજબૂર કરી છે

ABOUT THE AUTHOR

...view details