મુંબઈ :ચાલુ સપ્તાહની શરુઆતથી જ બજારમાં રિકવરીનું વલણ હતું. જેને આજે બ્રેક લાગી છે. ભારતીય શેરબજારના બંને મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 610 અને 193 પોઈન્ટ તૂટીને નીચા મથાળે લાલ રંગમાં બંધ થયા હતા. જોકે, આજે બંને ઈન્ડેક્સ વધારા સાથે ખુલ્યા હતા. પરંતુ ત્યારબાદ બજાર સતત ઘટતું રહ્યું હતું. ઉલ્લેખનિય છે કે, આવતી કાલે સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ છે. ત્યારબાદ સદદ ત્રણ દિવસ ભારતીય શેરબજાર બંધ રહેશે, આથી રોકાણકારોએ સલામત કારોબાર કર્યો હોવાનો અંદાજ છે.
BSE Sensex : આજે 28 સપ્ટેમ્બર ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 66,118 બંધની સામે 288 પોઈન્ટ વધીને 66,406 ના મથાળે ખુલ્યો હતો. બજારની સારી શરુઆતમાં જ ડે હાઈ બનાવી BSE Sensex સતત વેચવાલીના પગલે નીચે તરફ ઘટતો રહ્યો હતો. જેમાં સતત નબળા વલણના પરિણામે આશરે 983 પોઈન્ટ તૂટીને 65,423 પોઈન્ટ ડાઉન ગયો હતો. એશિયાઈ માર્કેટ ખુલતાની સાથે ભારતીય માર્કેટના સેન્ટિમેન્ટને નેગેટિવ અસર થઈ હતી. જોકે, DII ના ટેકારુપી બાઈંગ સાથે આખરે હળવી રિકવરી બાદ BSE Sensex ઈન્ડેક્સ 610 પોઈન્ટ તૂટીને 65,508 ના મથાળે બંધ રહ્યો હતો. જે 0.92 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 193 પોઈન્ટ (0.98 %) ઘટીને 19,523 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 45 પોઈન્ટ વધીને 19,761 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 19,766 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે 19,492 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ NSE Nifty 19,716 ના મથાળે બંધ રહ્યો હતો.