લોકસભાની ચૂંટણીનું 23 મેના દિવસે આવશે પરિણામ, કેવું રહેશે શેરબજાર? - AHD
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પરિણામને હવે ગણતરીના દિવસો બાકી છે. શુક્રવારે શેરબજારમાં એકાએક ઉછાળો આવ્યો હતો. હવે 23 મેના રોજ ચૂંટણીના પરિણામ જાહેર થશે, ત્યારે માર્કેટમાં ઘણો ફેરફાર થવાની શક્યતા શેરબજારના નિષ્ણાતો જણાવી રહ્યા છે.
![લોકસભાની ચૂંટણીનું 23 મેના દિવસે આવશે પરિણામ, કેવું રહેશે શેરબજાર?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3318815-thumbnail-3x2-ahym.jpg)
અમદાવાદમાં CA તરીકે કામ કરતા નિતીન પાઠકે ETV BHARAT સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, માર્કેટ છેલ્લા દિવસોથી ઘણુ સારૂ ચાલી રહ્યું છે. માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ ચૂંટણીના પરિણામ બાદ વધુ અસર માર્કેટ પર જોવા મળશે. પાઠકના જણાવ્યા અનુસાર, જો 23 મેના રોજ પરિણામમાં ભાજપ તરફી રહેશે, તો માર્કેટમાં વધુ ઉછાળો જોવા મળશે. કોંગ્રેસ તરફી પરિણામ આવશે, તો માર્કેટમાં થોડો ઘણો ફેરફાર થશે. પરંતુ જો દ્રીપક્ષીય અથવા તો વધારે પક્ષોથી રચિત સરકાર બનશે. દેશનું સ્ટોક માર્કેટ થોડા સમય પૂરતું નીચું રહેવાની પણ સંભાવના દર્શાવી છે. ડિસેમ્બર બાદ ફરીથી દેશનું શેર બજાર માર્કેટ મજબુત બની જશે.