ગુજરાત

gujarat

ETV Bharat / business

PNB એ વ્યાજ દરમાં 0.40 ટકાનો ઘટાડો કર્યો - પંજાબ નેશનલ બેન્ક વ્યાજ દર

બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ સિવાય તમામ લોન માટેના સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR)માં 0.15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

PNB
PNB

By

Published : Jun 2, 2020, 9:00 PM IST

મુંબઇ: બીજી મોટી સરકારી બેન્ક, પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) એ સોમવારે લોન પર રેપો રેટ સાથે સંકળાયેલા વ્યાજદરમાં 0.40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. હવે આ વ્યાજ દર 7.05 ટકાથી ઘટાડીને 6.65 ટકા થઇ જશે.

બેન્કે એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ સિવાય તમામ લોન માટેના સીમાંત ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR)માં 0.15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

બેન્કે બચત ખાતા પરના વ્યાજ દરને પણ 0.50 ટકાથી ઘટાડીને 3.25 ટકા કર્યો છે.

બેન્કે જણાવ્યું હતું કે, સુધારેલા દરો 1 જુલાઈથી લાગુ થશે, ગત અઠવાડિયાની શરૂઆતમાં બેન્ક ઑફ બરોડા અને યુકો બેન્કે પણ વ્યાજના દરમાં ઘટાડો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details