ગુજરાત

gujarat

ETV Bharat / business

નાણાંકીય ક્ષેત્રમાં તેજી લાવવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નોનું નિરાકરણ જરૂરી - બજેટ ન્યુઝ 2020

ન્યૂઝ ડેસ્ક: તાજેતરમાં મોદી સરકારે દેશને વિશ્વાસ આપ્યો હતો કે આવનાર પાંચ વર્ષમાં ભારતીય અર્થતંત્રને 5 બિલિયન ડૉલરનું બનાવવા માટે એક લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રચરના પ્રશ્નોના ઉકેલ માટે વાપરવામાં આવશે. ફાઇનાન્સ સેક્રેટરીની આગેવાની હેઠળ વરિષ્ઠ અધિકારીઓની એક ટીમે યોજના ઘડી છે, જે અંતર્ગત 18 રાજ્યોમાં 102 કરોડ ખર્ચ કરવામાં આવશે. આ ટીમની ભલામણના પગલે નાણાંપ્રધાન નિર્મલા સિતારમણે તાજેતરમાં ઇન્ફ્રાસ્ટ્રકચરનો એજન્ડા રજૂ કર્યો છે.

infrastructure
infrastructure

By

Published : Jan 13, 2020, 10:04 AM IST

Updated : Jan 13, 2020, 11:03 AM IST

ઇન્ફ્રાસ્ટ્રકચર એજન્ડાનું નાણાંકીય અને સામાજિક ક્ષેત્રોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. નાણાંની ફાળવણીના ક્ષેત્રો આ મુજબ છે. ઉર્જા અને ઇંધણ ક્ષેત્રે 24 ટકા, રસ્તા 19 ટકા, શહેરી વિકાસ 16 ટકા અને રેલવે 13 ટકા છે. આ ઉપરાંત સરકારના જણાવ્યા અનુસાર, અન્ય ક્ષેત્રોમાં ગ્રામીણ વિકાસ 8 ટકા, સ્વાસ્થ, શિક્ષણ, પીવાના પાણી અને અન્ય સામાજીક ક્ષેત્રોમાં ત્રણ ટકાની ફાળવણી કરવામાં આવી છે.

આ અનુમાનોમાં કોઇ અતિશયોક્તિ કરવામાં આવી નથી, કારણે કે જો દરેક ક્ષેત્રે ક્ષતિ વિના આ યોજનાને અમલમાં મુકવામાં આવે તો રોજગારની તકો અને જીવનધોરણમાં સુધારો કરી શકે છે. જોકે આ સંદર્ભે જે તે સરકારો દ્વારા મૂળ રકમના ખર્ચની માત્રા પર સંદેહ કરવામાં આવી રહ્યો છે. ફાઇનાન્સ પ્રધાને ઘણું જ સુંદર ચિત્ર રજૂ કર્યુ છે કે, જો આ બોજ કેન્દ્ર અને રાજ્યો 39 ટકા અને 22 ટકા ખાનગી ક્ષેત્ર દ્રારા વેંહચવામાં આવે તો અનુમાનિત લક્ષ્યો હાંસલ કરી શકાય છે. અનુમાન પ્રમાણે રાજ્યોને 40 લાખ કરોડનો બોજો ઉઠાવવો પડશે, તેમાં કોઇ શંકા નથી. જે રાજ્યો નાણાકીય કમીનો સામનો કરી રહ્યા છે. તેમના માટે આ રકમ અસહ્ય હશે. ચિંતાનો વિષય એ છે કે આઠ ઔધોગિક ક્ષેત્રો જે અર્થતંત્રના વિકાસ માટે મહત્વના છે, તેમણે છેલ્લા ચાર માસથી ઘટતા પરિણામો બતાવ્યા છે . કોલસા, કાચુ તેલ, કુદરતી ગેસ, સ્ટીલ અને ઉર્જા જેવા ક્ષેત્રો મંદીના કારણે વિપરીત અસરો જોવા મળી રહી છે. સિમેન્ટ ક્ષેત્રે પણ વિકાસનો દર અડધો જોવા મળ્યો છે. એક હકારાત્મક અનુમાન પ્રમાણે જો ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા જેવી કે રસ્તા, શીપયાર્ડ, ઉર્જા અને સિંચાઇ ક્ષેત્રોમાં જો બાંધકામ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો સિમેન્ટ અને સ્ટીલ ક્ષેત્રોમાં જરૂરથી મોટો ધંધો કરી શકે છે.

જો કે નિષ્ણાંતો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો અને ઔપચારીક નિવેદનોમાં કોઇ જ સમાનતા નથી. એ વાતની પણ અવગણના કરી શકાય તેમ નથી કે હાલ જે રકમ ખર્ચ કરવામાં આવી રહી છે તે પાંચ વર્ષમાં 40 લાખ કરોડ ખર્ચ કરવાની જે યોજના કેન્દ્ર સરકારે બનાવી છે, તેના કરતા વધુ છે. 12મી પાંચ વર્ષીય યોજનામાં ઇન્ફ્રાસ્ટ્રચર સુવિધાઓ માટે 52 લાખ કરોડ ખર્ચ કરવાનુ અનુમાન લગાવામાં આવ્યું હતું. જેમાં 47 ટકા નાણાં પ્બલિક પ્રાઇવેટ ભાગીદારીથી ભેગા કરવાની વાત દિપક પારેખ કમીટીએ સાત વર્ષ અગાઉ જે રિપોર્ટ આપ્યો હતો તેમાં કરવામાં હતી તેનો સમાવેશ થાય છે .

એસોચામ અને ક્રીસીલ ચાર વર્ષ અગાઉ સંયુક્ત શ્વેત પત્ર બહાર પાડ્યુ હતું જેમાં આ કાર્ય માટે બેંક મહત્વની ભુમીકા ભજવશે તેવુ જણાવ્યુ હતું. જોકે બેંકો અત્યારે અણચુકવેલ નાણાંનો સામનો કરી રહી છે. ચાલુ નાણાંકિય વર્ષમાં બેંકોએ ઔધોગીક ક્ષેત્રે આપેલી લોનમાં પ્રથમ 8 માસમાં 3.9 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. પરવાનગીઓ આપવામાં બિનજરૂરી વિલંબની સમસ્યાનું સમાધાન કર્યા વગર કેન્દ્ર સરકાર કેવી રીતે નવા લક્ષ સાધવામાં વિશ્વાસ વ્યકત કરે છે .

ઉર્જા ઉત્પાદનમાં કમી, લોન ન મળવી અને ખેત પેદાશમાં ટેકાના ભાવમાં અભાવ જેવા પરિબળો અર્થતંત્રમાં અધોગતિ માટે કારણો છે. કાર્યક્ષમ નીતિવિષયક નિર્ણયોના અભાવે, ખાનગી રોકણ અને નિકાસમાં પડતી ચાલી રહી છે. છેલ્લે એવી પરિસ્થિતિ થઇ છે કે રાજ્યોના મહેસુલી અનુમાન અને અંદાજઅત્રને ધક્કો વાગ્યો છે. આ સમસ્યાના નિવારણ માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રચરનો એજન્ડા લાવવા માંગે છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિઓની અવગણના ન કરી શકાય. વ્યવસાય કરવામાં સરળતાની સુચીમાં સુધારો થયો છે, ભારત પાંચ વર્ષ પહેલા 143 ક્રમે હતુ અને હવે 63માં ક્રમે છે. તેમ છતાં કરારોના અમલીકરણ અને મિલ્કતોની નોધણીમાં અનુક્ર્મે 163 અને 154 માં ક્રમે છે . રસપ્રદ રીતે નાણાં પ્રધાનના સલાહકાર સંજય સનયાલએ આ પરિસ્થિતી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોનો વાંક કાઢયો હતો.

આ વિકટ પરિસ્થિતીમાં, નિષ્ણાંતોએ સંબધિત કરારોના અમલીકરણ પ્રત્યે સરકારના નાદાર વલણ સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. અંતારાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રકચર સુચી 2019 પ્રમાણે મલેશિયાએ ભારત કરતા એરપોર્ટ સુવિધા બાબતે સારૂ પ્રદર્શન કર્યુ છે. ચાઇના, સાઉદી અરબ , સાઉથ કોરીયા અને અન્ય દેશોની સરખામાણીમાં ભારતના રસ્તા સારા નથી અને તાત્કાલીક સમારકામ માંગી રહ્યા છે . ચાઇના, સાઉદી અરબ, જર્મનીની સરખામણીમાં ભારત પુરને રોકવા માટે યોજના અને જરૂરી પદ્ધતિઓમાં પણ પાછળ છે . રસપ્રદ રીતે , ડેનમાર્ક ,ન્યુઝીલેન્ડ ,સીંગાપુર અને હોંગકોંગ જેવા દેશો કુશળ માનવ સંસાધન ધરાવે છે અને વિદેશી રોકણને આકર્ષવામાં સક્ષમ છે. વેપારના અવરોધો દુર કરવા ઉપરાંત, ભારતે આવા અનુભવો પરથી સીખી તેના ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રને મજબુત કરવાની જરૂર છે. જ્યારે સ્થાનિક રોકણકારો ની લાઇન લાગે ત્યારે આપણો દેશ નુપમ અને મજબુત અર્થતંત્ર નો વિકાસ કરશે.

Last Updated : Jan 13, 2020, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details