ગુજરાત

gujarat

ETV Bharat / business

SBI ઇકોનોમિસ્ટ્સ અસરગ્રસ્ત વિસ્તારો માટે બીજા ફાઇનાન્સિયલ પેકેજની કરી રહ્યા છે ભલામણ - અસરગ્રસ્ત વિસ્તારોમાં ફાઇનાન્સિયલ પેકેજ

કોવિડ -19 ફેલાવાના શરૂઆતના દિવસોમાં શેર બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન બજારોમાં 20 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આ પછી, છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન બજારો ચઢ્યા છે અને તેમને કેટલાક નુકસાનની ભરપાઇ કરી છે.

SBI
SBI

By

Published : Jun 29, 2020, 8:17 PM IST

મુંબઇ: સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના (એસબીઆઈ) અર્થશાસ્ત્રીઓ માને છે કે શેરબજારમાં થયેલા વધારાને આર્થિક પરિસ્થિતિમાં થયેલા સુધારા સાથે જોડવું ન જોઈએ, તે ફક્ત અતાર્કિક ઉત્સાહનું નિશાની હોઈ શકે છે.

અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રના અસરગ્રસ્ત ક્ષેત્રો માટે નાણાકીય સહાયતાના બીજા રાઉન્ડ પર પણ ભાર મૂક્યો છે.

તેમણે ચેતવણી આપતાકહ્યું કે બેન્ક સપ્ટેમ્બર પછી બિન-પરફોર્મિંગ રકમ (એનપીએ) ના વધેલા આંકડા જાહેર કરી શકે છે જ્યારે લોન ચૂકરણી પર છ મહિનાની મુદત પૂર્ણ થશે.

અર્થશાસ્ત્રીઓએ કહ્યું, "જો બજારો સારા હોય તો તેનો અર્થ વધુ સારી અર્થવ્યવસ્થા ન હોઈ શકે."

અર્થશાસ્ત્રીઓ એ પણ કહ્યું કે ભારત કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) ના વિકાસ માટે માત્ર કૃષિ ક્ષેત્રની સુધારણા પર નિર્ભર ન રહી શકે.

તેમણે વધપમાં કહ્યું સરકારે પહેલાથી જ અર્થતંત્રના પુનરુત્થાન માટે 20 લાખ કરોડ રૂપિયાના પ્રોત્સાહક પેકેજની જાહેરાત કરી છે, પરંતુ આમાં વાસ્તવિક નાણાકીય ખર્ચ પેકેજનો માત્ર 10 મો ભાગ જ છે.

તે જણાવે છે કે લોકડાઉન દરમિયાન ઉપભોક્તાના વર્તનમાં એક રસપ્રદ પરિવર્તન આવ્યું છે. ભારતીય બેન્કિંગ સિસ્ટમ માટે આની મોટી હકારાત્મક અસર પડી શકે છે. આ સમય દરમિયાન પ્રતિ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો છે.

આ સમયગાળા દરમિયાન, ગ્રાહક લક્ઝરી ચીજોને બદલે દૈનિક આવશ્યકતાઓ સુધી મર્યાદિત રહ્યા.

આ સમય દરમિયાન, ક્રેડિટ કાર્ડ્સના કિસ્સામાં, કાર્ડ દીઠ ટ્રાન્ઝેક્શન 12 હજાર રૂપિયાથી ઘટીને 3,600 રૂપિયા થઈ ગયું છે જ્યારે ડેબિટ કાર્ડ સાથેનું ટ્રાન્ઝેક્શન 1000 થી ઘટીને 350 થઈ ગયું છે. આની અસર આવનારા સમયમાં બેન્કોના એનપીએ પર પડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details