સરકારે ખાનગીકરણની દિશામાં મોટું પગલું ભર્યુ છે. કેન્દ્રીય મંત્રીમંડળે પેટ્રોલિયમ ક્ષેત્રની પ્રમુખ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(BPCL) Bharat Petroleum Corporation Ltd પરિવહન કંપની ભારતીય જહાજરાની નિગમ (SCI) અને કંટેનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા કોનકરમાં સરકારી ભાગ વહેચવાની મંજુરી આપી છે.સાથે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓમાં ભાગને 51 ટકા નીચે લાવવાની મંજુરી આપી છે.
વડાપ્રધાન નરેન્દ મોદીની અધ્યક્ષતામાં બુધવાર રાત્રે પ્રધાનમંડળની આર્થિક મામલની સમિતિ (CCEA)ની બેઠક બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, સાર્વજનિક ક્ષેત્રે દેશની સૌથી મોટી બીજી રિફાઈનરી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડથી નુમાલીગઢ રિફાઈનરીને અલગ કરવામાં આવશે. ત્યારબાદ મેનેજમેન્ટ નિયંત્રણ સાથે (BPCL)માં સરકારની 53.29 ટકા ભાગ વેહચવાની પરવાનગી આપવામાં આવી છે.